SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્ર જેટલો રસ હોય, તોપણ લબ્ધિના બલે કરી હાથમાં સમાઈ જાય, ઉપર શિખા ચડે ખરી, પણ ધરતી ઉપર એક ટીપું પણ પડે નહીં. હવે પરમ કૃપાલુ સર્વોત્કૃષ્ટ સુપાત્ર એવા શ્રીઋષભદેવસ્વામી ભણી નવ કોટિ વિશુદ્ધ આહાર દેતાં થકાં મન, વચન અને કાયાની શુદ્ધતાએ કરી ઉત્પન્ન થયેલો જે ઘણાક આનંદનો સમૂહ, તે પોતાના ચિત્તમાં તથા શરીરમાં સમાતો નથી. વલી મનમાં વિચારે છે, જે ત્રણ જગત્ના પૂજનીય, અનંત ગુણના નિધાન, એવા શ્રીઋષભદેવ ભગવાને મારે હાથે આહાર વહોર્યો, એ મારા ઉપર મોટો પ્રસાદ કીધો, ભગવાનને પ્રાશુક આહાર દેવા થકી આજ મારાં પાપ સંતાપ સર્વ ગયાં. દૂર જેવામાં શ્રેયાંસકુમર એવો વિચાર કરે છે, તેવામાં આકાશમાં દેવતાએ પંચ દિવ્ય પ્રગટ કરવાં, દેવતાએ “અહો દાનમહો દાનં’' એવી ઉદ્ઘોષણા કરી દેવદૂષિ વજાડી, તિર્યýભક દેવોએ સાડીબાર ક્રોડ સુવર્ણરત્નની વર્ષા કરી. તે વખત શ્રેયાંસકુમરનું ઘર સુવર્ણરત્ને ભરાણું, અને ત્રણ ભુવન સચ્ચે ભરાણાં, તથા ભગવાન્ ઇક્ષુરસથી ભરાણા. શ્રેયાંસકુમરનો આત્મા નિરુપમ સુખનું ભાજન થયો. એ વૈશાખ સુદિ ત્રીજને દિવસે શ્રીૠષભદેવસ્વામીનું શ્રેયાંસકુમરને ઘેર ઇસુરસે કરી પારણું થયું. તે દાન, શ્રેયાંસકુમરને અક્ષય સુખનું કારણ થયું. તે માટે એ દિવસનું નામ અક્ષયતૃતીયા અથવા ઇક્ષુતૃતીયા એવું લોકમાં પ્રસિદ્ધ થયું. ઈહાં કોઈ પૂછે જે ત્રૈલોક્યનાથ શ્રીઋષભદેવને એક વર્ષ સુધી એ રીતે આહારનો અંતરાય શાથી પડ્યો ? તિહાં કહે છે કે પાછલે ભવે માર્ગમાં ચાલતાં ધાન્યના ખલામાંહે વૃષભ ધાન્ય ખાતા હતા, તેથી તેને કર્ષણીઓ મારતા હતા ત્યારે તે કર્ષણીઓને કહ્યું અરે મૂર્ખાઓ ! આ બલદોને મોઢે છીકું બાંધો. ત્યારે કર્ષણીઓ બોલ્યા કે અમે તો બાંધી જાણતા નથી. તે વારે પોતે તિહાં બેસી પોતાને હાથે છીકું બાંધી દેખાડ્યું, તેથી તે બલદે ત્રણસેં ને સાઠ નીસાસા નાખ્યા, તિહાં અંતરાયકર્મ ઉપાર્જન કર્યું. તેનો દીક્ષા લેવાને દિવસે ઉદય થયો, અને આજે ઉપશમ પામ્યો. એ દાનના પ્રભાવથી શ્રેયાંસ મોક્ષપદવી પામશે. એક હજાર વર્ષ છદ્મસ્થપણે રહ્યા, અને એક હજાર વર્ષે ભગવાન્ એક ન્યૂન લાખ પૂર્વ વર્ષ લગે કેવલીપણે અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ દેતા વિચર્યા. અષ્ટાપદ પર્વતે મોક્ષ સિધાવ્યા, માટે અક્ષય ત્રીજને દિવસે ભવ્ય જીવોએ સુપાત્ર દાન દેવું, શીલ પાલવું, તપસ્યા કરવી, ભાવના ભાવવી, પૂજા કરવી, સ્નાત્રમહોત્સવ કરવો. ।। ઈતિ શ્રી અખાત્રીજ વ્યાખ્યાન સંપૂર્ણ ॥ જ્ઞાનપંચમી Jain Education International 2010_03 For Private & Personal Use Only ૨૯ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy