SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તિહાં ભગવાન્ પ્રથમ ભવે ધનસાર્થવાહ, બીજે ભવે યુગલીયા, ત્રીજે ભવે દેવતા, ચોથે ભવે મહાબલ રાજા, પાંચમે ભવે લલિતાંગ દેવ થયા. તિહાં શ્રેયાંસનો જીવ પ્રથમ ધર્મિણી નામની સ્ત્રીના ભવમાં નિયાણું કરીને તે લલિતાંગ દેવતાની સ્વયંપ્રભા નામે દેવી થઈ હતી, એ સંબંધ ભગવાન્ સાથે થયો. પછી લલિતાંગનો જીવ વજધર રાજા થયો, અને સ્વયંપ્રભાનો જીવ શ્રીમતી રાણી થઈ, પછી સાતમે ભવે બહુ યુગલીયા થયા. આઠમે ભવે સૌધર્મ દેવલોકે બહુના જીવ દેવતા થયા. નવમે ભવે ભગવાનનો જીવ જીવાનંદ નામે વૈદ્ય થયો, અને શ્રેયાંસનો જીવ કેશવ નામે શ્રેષ્ઠીપુત્ર થયો. તિહાં પણ પોતામાં મિત્રાઈ હતી, તિહાંથી દશમે ભવે અશ્રુત દેવલોકે બહુ જણા મિત્રદેવતા થયા. તથા અગ્યારમે ભવે ભગવંતનો જીવ ચક્રવર્તી અને શ્રેયાંસનો જીવ સારથી થયો, તથા બારમે ભવે બહુ જણા સર્વાર્થસિદ્ધ વિમાને દેવતા થયા, અને તેરમે ભવે ભગવાનનો જીવ ઋષભદેવજી થયો, અને સારથીનો જીવ હું શ્રેયાંસકુમાર થયો, એમ નવે ભવનો સંબંધ દીઠો, તેમાં પૂર્વે પોતે સાધુપણું અનુભવ્યું હતું, તેથી શ્રેયાંસકુમર વિચારવા લાગ્યો કે, જૂઓ ! સંસારી જીવો ને કેવું અજ્ઞાનપણું છે? જે ભગવાન્ ત્રણ લોકના રાજા તે રાજ્યપદવીને તૃણ સમાન ગણીને વિષયભોગરૂપ સાંસારિક સુખને કિપાકફલ સમાન જાણતા થકા સાધુપણું આદરી મોક્ષસુખ ભણી યત્ન કરતા થકા, રાગદ્વેષાદિક વિકારનાં જે કારણ તેને પરમાણુ માત્ર પણ ગ્રહવાને વાંછતા નથી, તો તે હાથી, ઘોડા, કન્યા, સુવર્ણ, મણિ, મુક્તાફલ પ્રમુખ પરિગ્રહને શી રીતે ગ્રહણ કરશે? એટલું જાણતા નથી. એવું વિચારી શ્રેયાંસકુમર તરત પોતાના ઘરના ગોખથી નીચે ઉતરી જ્યાં ભગવાન્ ઉભા છે, ત્યાં આવી ઘણી હર્ષવંત થકો ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી, બે હાથ જોડી, આગલ ઉભો રહી કહેવા લાગ્યો કે હે સ્વામી! મારા પર કૃપા કરો, હું સંસારરુપ તાપે કરી તાપિત છું, તેથી મારો વિસ્તાર કરો. અઢાર કોડાકોડી સાગરોપમ સુધી વિચ્છેદ પામેલો જે સાધુને પ્રાશુક આહાર લેવાનો વિધિ, તે પ્રગટ કરો, અને મારે ઘેર ભેટ દાખલ આવેલા એકસો ને આઠ ઈશુરસના ઘડારૂપ પ્રાશુક આહાર છે, તે આપ ગ્રહણ કરો. એ વચન સાંભલી ચાર જ્ઞાને સંયુક્ત એવા ભગવાને તે સેલડીના રસને નિર્દોષ આહાર જાણીને શ્રેયાંસને ઘેરથી પોતાના બે હાથમાંહે વહોર્યો. જે માટે ભગવાન્ પાણિપાત્ર લબ્ધિના ઘણી છે, તેને પોતે પાણિ જે હાથ તદ્રુપ પાત્રામાં સેલડીનો રસ લીધો, તે રસ લેતાં છતાં તેમના હાથમાંથી એક બિંદુમાત્ર પણ ધરતી ઉપર પડ્યું નહીં, યદ્યપિ એ તો એકસો આઠ ઘડા હતા; પરંતુ જો હજારો, લાખો ઘડા હોય અથવા ૨૮ જ્ઞાનપંચમી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy