SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પછી અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું અને બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય આપ્યું તથા બીજા પુત્રોને પણ યોગ્યતા પ્રમાણે દેશ નગર આપીને પોતે ચૈત્ર વદિ અષ્ટમીને દિવસે દીક્ષા લીધી અને આહાર નિમિત્તે ગામોગામ ભમવા લાગ્યા; પણ ભદ્રક લોક સાધુને આહાર દેવાનો વિધિ કોઈ જાણે નહીં, તેથી મણિ, માણેક, મોતી પ્રમુખ અનેક ઉત્તમ વસ્તુઓની ભેટ આવી કરે, તે ભગવાન્ સર્વથા ત્યાગી થયા છે માટે કાંઈ પણ વસ્તુ લીએ નહીં. એમ ફરતાં ફરતાં એક વર્ષ જાજેરો કાલ અન્ન પાણી વિનાનો નીકળી ગયો, એવા અવસરે ગજપુરે નગરે બાહુબલીજીનો પુત્ર સોમયશા રાજા તેનો પુત્ર શ્રેયાંસકુમર હતો, તિહાં આહાર નિમિત્તે શ્રી ઋષભદેવ ભગવાન્ વિચરતા આવ્યા, તે વારે રાત્રિને સમયે શ્રેયાંસકુમારે એવું સ્વપ્ન દીઠું, જે મેરુપર્વત શ્યામ થઈ ગયો હતો, અને તેને અમૃતકલશે કરી પખાલીને મેં ઉજલો કર્યો. વલી તેહિજ રાત્રિએ તે ગામમાં સુબુદ્ધિ નામના શેઠને પણ સ્વપ્ન આવ્યું. તેમાં તેણે એવું દીઠું જે સૂર્યના મંડલમાંથી હજાર કિરણો ખરી પડ્યાં, તે શ્રેયાંસકુમરે સૂર્યના બિંબને વિષે પાછાં સ્થાપ્યાં. વલી તેહિજ રાત્રિએ સોમયશા રાજાએ પણ સ્વપ્નમાં એવું દીઠું, જે એક પરાક્રમી સુભટ ઘણા વૈરીયે રોક્યો થકો વ્યાકુલ થયો હતો, તે શ્રેયાંસકુમારની સહાય થકી તત્કાલ જય પામ્યો. એવા ત્રણે જણે ત્રણ સ્વપ્નાં દીઠાં. પછી પ્રભાતસમયે રાજસભામાં સર્વે એકઠા મલ્યા, તે વારે સહુએ પોતપોતાને આવેલાં સ્વપ્ન કથન કર્યા, તે સાંભલી સહુ કોઈ કહેવા લાગ્યા કે આજ શ્રેયાંસકુમરને કોઈ એક અપૂર્વ મોટો લાભ થશે. એમ કરતાં ભગવાન્ પણ આહારનિમિત્તે ઘર ઘર ભમતાં શ્રેયાંસકુમારને ઘેર આવ્યા. તેમને આવતા દેખી કુમર ઘણો હર્ષ પામ્યો. બીજા લોકો ભગવાનું પગે ભટકે છે તે દેખી હાથી ઘોડા પ્રમુખ નજરાણાં કરવા લાગ્યા, પણ ભગવાને લીધાં નહીં. તેથી તે લોકો ઉદાસ થયા થકા મનમાં ચિંતવવા લાગ્યા જે ભગવાન્ આપણા હાથનું કાંઈ લેતા નથી માટે આપણા ઉપર ક્રોધવંત થતા દેખાય છે, પણ યુગલિયાપણું ત્યાગવાને સ્વલ્પ કાલ થયો છે માટે તે પુરુષો આહાર દેવાનો વિધિ જાણતા નથી. હવે શ્રેયાંસકુમાર તો ભગવંતની સાધુમુદ્રા દેખી વિચારવા લાગ્યો, જે એવી મુદ્રા મેં આગલ પણ કોઈક વારે દીઠી છે, એમ ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણશાન ઉત્પન્ન થયું, તે જાતિસ્મરણ મતિજ્ઞાનનો ભેદ છે, તેણે કરીને ભગવાનના સાથે પોતે સંગીપણામાં નિરંતર નવ ભવ કિધા હતા, તે સર્વ દીઠા. અખાત્રીજ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy