SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિમુક્ત કરનારી એવી દીક્ષા આપો. ગુરુ બોલ્યા કે આ તારી પુત્રી દીક્ષા લેવાને અયોગ્ય છે, તે વારે માતાએ કહ્યું કે હે મહારાજ ! એને જે ધર્મ કરવા યોગ્ય હોય, તે બતાવો. ગુરુ બોલ્યા કે હે ભદ્રે ! એને ચૈત્ર સુદિ પૂનમનું આરાધન કરાવો, કે જે થકી એના અશુભ કર્મનો વિલય થાય. પછી કન્યાએ કહ્યું કે હે મહારાજ ! તમે મુજને એનો વિધિ બતાવો, તે વારે પુંડરીક ગણધર બોલ્યા કે ચૈત્ર સુદિ પૂનમને દિવસે શુભ ભાવથી ઉપવાસ કરવો, તથા શ્રી ભગવંતના દેરાસરે જઈ પૂજા કરવી, સ્નાત્રમહોત્સવ કરવો, સર્વ દેરાસરે વાંદવા જવું, ગુરુની પાસે ચૈત્રી પૂનમનું વખાણ સાંભલવું, દીન હીન જનોને દાન આપવું, તે દિવસે શીલ પાલવું, જીવની રક્ષા કરવી, મોતીથી અથવા ચાવલથી પાટ ઉપર વિમલગિરિની સ્થાપના કરીને તેની મોટી પૂજા કરવી, ગુરુની પાસે પાંચે શક્રસ્તવે દેવ વાંદવા. દશ, વીશ, ત્રીશ, ચાલીશ, પચાસ લોગસ્સના કાઉસ્સગ્ગ કરવા, સ્તવન પણ કહેવાં. બે ટંક પડિક્કમણાં કરવાં, બીજો વિશેષ વિધિ ગ્રંથાંતરથી જાણવો, ઇત્યાદિક દિન રાત્રિનાં કર્ત્તવ્ય કરવાં. પછી પારણાને દિવસે મુનિમહારાજને વહોરાવીને પોતે પારણું કરવું, એવી રીતે પન્નર વર્ષ તપસ્યા કરવી, તપસ્યા પૂર્ણ થયાથી શક્તિ પ્રમાણે ઉજમણું કરવું, એથી જે દિરદ્રી હોય, તે ધનવાનૢ થાય, પુત્ર, કલત્ર, સૌભાગ્ય, યશ, કીર્તિ વધે, દેવતાનાં સુખ અને મોક્ષનાં સુખ પામે, વલી સ્ત્રીને ભરતારનો વિયોગ ન થાય, રોગ શોક વિધવાપણું મૃતવત્સાપણું ઈત્યાદિક દોષોનો નાશ થાય. વલી વિષકન્યાપણું તથા ભૂત, પ્રેત, શાકિની, ડાકિની આદિકના સર્વ દોષ વિલય પામે. જે પ્રાણી ભાવે કરી ચૈત્રી પૂનમનું આરાધન કરે, તે પ્રાણી મોક્ષનાં સુખ પામે. એવી પુંડરીક ગણધરની વાણી સાંભલીને તે કન્યા હર્ષવંત થઈ કહેવા લાગી કે હે મહારાજ ! તપ હું કરીશ, એમ ગુરુ પાસે તપ અંગીકાર કરી માતા પિતા સહિત ગુરુને નમસ્કાર કરી પોતાને ઘેર જઈ તે દિવસ આવેથી ચૈત્રી પૂનમનું આરાધન કર્યું, તપ પૂર્ણ કરી ઉજમણું કર્યું, શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી, શ્રીઋષભદેવસ્વામીનું ધ્યાન ધરતી રહી. છેવટ અનશન કરી આયુ પૂર્ણ થયે સૌધર્મ દેવલોકે દેવતાપણે જઈ ઉપની. તિહાં દેવતા સંબંધી ભોગ ભોગવી આયુ પૂર્ણ કરી મહાવિદેહને વિષે સુકચ્છ વિજયે વસંતપુર નગરમાં, નરચંદ્ર રાજાના રાજ્યને વિષે તારાચંદ નામના શેઠ વસે છે તેની તારા નામે ભાર્યા છે, તેની કૂખે પુત્રપણે ઉપજશે. તેનું નામ પૂર્ણચંદ્ર થશે, બહોંતેર કલાએ પરિપૂર્ણ થશે, પન્નર ૨૪ અખાત્રીજ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy