SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કોડી દ્રવ્ય પામશે, પન્નર સ્ત્રીઓ અને પન્નર પુત્ર પામશે. ઈત્યાદિક ઘણાં સુખ ભોગવશે. વલી તે ભવમાં પણ ચૈત્રી પૂનમનું આરાધન કરશે, છેવટ જયસમુદ્ર ગુરુની પાસેથી દીક્ષા લઈ ચારિત્ર પાલી મોક્ષે જશે. એમજ ચૈત્રી પૂનમનું તપ કરતાં ઘણાં જીવ મોક્ષે ગયાં છે. તથા વલી શ્રીકૃષ્ણના પુત્ર સાંબ, પ્રદ્યુમ્ન, દશરથનો પુત્ર ભરત, શુક નામે મુનિરાજ, શૈલકજી, પંથકજી, રામચંદ્ર, દ્રવિડ રાજા, નવ નારદ, પાંચ પાંડવ, એ સર્વ શ્રીસિદ્ધાચલ ઉપર મોક્ષે ગયા છે. વલી ચૈત્રી પૂનમને દિવસે ઉપવાસ કરીને જે પ્રાણી શ્રીસિદ્ધાચલ તીર્થની યાત્રા કરે, તે પ્રાણી નરક તિર્યંચની ગતિનો વિચ્છેદ કરે. ચૈત્રી પૂનમને દિવસે મંત્રાક્ષરે પવિત્ર સ્નાત્રજલ ગ્રહણ કરીને ઘરને વિષે છાંટે, તેના ઘરમાં મરકી પ્રમુખ ઉપદ્રવ ન થાય. સર્વદા છાંટે તે પ્રાણી ૠદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા પામે. શુભ ભાવથી આરાધતાં માંગલિકની માલા વધે, મોક્ષનાં સુખ પામે, શ્રી નંદીશ્વર દ્વીપને વિષે શાશ્વતા ભગવાન્ પૂછ્યા થકી જે પુણ્ય થાય, તે થકી અધિક પુણ્ય ચૈત્ર સુદિ પૂનમને દિવસે શત્રુંજય તીર્થ ઉપર ભગવાનની પૂજા કરવાથી થાય. જે મનુષ્ય અન્ય સ્થાનકે રહ્યો થકો પણ ચૈત્રી પૂનમને દિવસે શ્રીૠષભદેવજીની તથા પુંડરીક ગણધરની પૂજા કરે, તે દેવતાની પદવી પામે, અને જો વિમલાચલ ઉપર રહ્યો થકો ભક્તિ કરે, તો ધણુંજ ફલ પામે, તેમાં તો કહેવુંજ શું ? તથા ચૈત્રી પૂનમને દિવસે જે દાન આપીયે, તપસ્યા કરીયે, ધ્યાન ધરીયે, સામાયિક કરીયે, જિનપૂજા કરીયે, તે સર્વ ધર્મકાર્ય, પાંચ કોડી ગુણાં ફલનાં આપનાર થાય. જે પ્રાણી શુદ્ધ વિધિયે ચૈત્રી પૂનમનું આરાધન કરે, તે જીવ પોતાને સ્થાનકે બેઠો થકો ભાવના ભાવતો પણ તીર્થયાત્રાનું ફલ પામે. અખાત્રીજ ॥ ઇતિ ચૈત્રી પૂનમનું વ્યાખ્યાન સંપૂર્ણ ॥ Jain Education International 2010_03 For Private & Personal Use Only ૨૫ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy