SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભવમાં શું પાપ કર્યું હશે, કે જે થકી એનો વિવાહ કરતાં હાથ મેળવવાની વખતેજ એનો ભરતાર મરણ પામ્યો ? એવું પૂછે થકે ચાર જ્ઞાનના ધરનાર ગણધરજી કહેવા લાગ્યા કે હે મહાનુભાવ! અશુભ કર્મનું અશુભ ફલ થાય. સર્વ જીવ પોતાનાં પૂર્વકૃત શુભાશુભ કર્મનાંજ ફલ પામે છે, પરંતુ બીજાં તો નિમિત્તમાત્ર છે, માટે એના પૂર્વલા ભવ હું કહું છું, તે સાંભલ. જંબૂદીપે પૂર્વ મહાવિદેહે ચંદ્રકાંતા નામની નગરીનો સમરથસિંહ નામે રાજા છે. તેને ધારણી નામે રાણી છે. તેજ નગરમાં એક મહા ધનવંત પરમશ્રાવક ધનાવહ નામે શેઠ રહે છે. તેની એક ચંદ્રશ્રી અને બીજી મિત્રશ્રી એવે નામે બે સ્ત્રીઓ છે. એક દિવસે ચંદ્રગ્રી કામવિકારને વશ થઈ થકી મર્યાદા મૂકી પોતાની શોક્ય મિત્રશ્રીનો પતિ પાસે જવાનો વારો હતો તેને ઉલ્લંઘન કરી પોતે ભરતાર પાસે આવી, તે વારે તેને ભરતારે કહ્યું કે આજ તો તારો વારો નથી, માટે મર્યાદા મૂકીને કેમ આવી? તે સાંભલી ચંદ્રશ્રી કામવશ થકી કહેવા લાગી કે એમાં શાની મર્યાદા? તે વારે શેઠે કહ્યું કે કુલવંતને મર્યાદા છોડવી યુક્ત નથી. તે સાંભલી ચંદ્રશ્રી સંતોષ રહિત થઈ રોષે ભરાણી થકી મલિન પરિણામે મુખ વિલખું કરીને મિત્રશ્રી ઉપર ઘણોજ દ્વેષ ધરવા લાગી. કેટલા એક દિવસ પછી તે ચંદ્રશ્રીએ પોતાના પિતાને ઘેર આવીને મંત્ર, યંત્ર, તંત્ર, કામણ, ટૂંમણ કરીને મિત્રશ્રીના શરીરમાં ડાકણનો પ્રવેશ કરાવ્યો, તેથી મિત્રશ્રીના શરીરની શોભા સર્વ જતી રહી, તે જોઈ ભરતાર પણ મિત્રશ્રીને ત્યાગી ચંદ્રશ્રીને વશ થઈ ગયો. પાછલથી ભરતારે પણ કેટલાએક દિવસે તે સ્વરુપ જાણ્યું, તેથી તે ચંદ્રશ્રીને ત્યાગી દીધી. હવે ચંદ્રશ્રી શ્રાવક ધર્મ પાલતી થકી પણ તે પાપ આલોયા વિનાજ મરણ પામીને આ તારી પુત્રીપણે આવી ઉપની છે, એણે પૂર્વ ભવમાં મિત્રશ્રીને પતિનો વિયોગ પાડ્યો, તેથી એ વિષકન્યા થઈ છે. અને ભરતારનો સ્પર્શ તો દૂર રહ્યો, પણ ભરતાર એનું મુખ જોવાની પણ ચાહના ન કરે, એવું કર્મ અને ઉદય આવ્યું છે. એ પૂર્વકૃત કર્મના ઉદયથી દુઃખીયારી થઈ છે, માટે કર્મની ગતિ વિચિત્ર છે. તે વારે ફરી તેની માતાએ કહ્યું કે હે સ્વામી ! ભરતારના વિરહથી પીડાણી થકી આજે એને વૃક્ષની છાલને વિષે ફાંસી ખાઈને મરવા માંડ્યું હતું, તેને ફાંસી છોડાવીને હું આપની પાસે લઈ આવી છું, માટે આપ કૃપા કરીને એને સર્વ દુઃખથી ચૈત્રી પૂનમ ૨૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy