SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કાઉસગ્ગધ્યાને ઉભા રહે, તે વારે તેના ઉપરથી ડાંસ મચ્છર ઉડાડે, અને પ્રભાતમાં, સંધ્યાકાલમાં ભગવાનને વાંદીને વિનંતિ કરે કે, હે મહારાજ ! અમને રાજ્ય આપો. એમ નમિ વિનમિ ભગવંતની પાછલ વિચરે છે. એકદા ધરણીદ્ર ભગવાનને વાંદવા આવ્યા તેણે નમિ વિનમિત્તે સેવા કરતા જોઇને તેમની ઉપર પ્રસન્ન થઇ અડતાલીશ હજાર સિદ્ધવિદ્યા આપી, સોલ વિદ્યાદેવીઓનું આરાધન બતાવ્યું અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણ મેખલાએ રથપુર ચક્રવાલ પ્રમુખ પચાસ નગર વસાવી આપ્યાં, તથા ઉત્તર મેખલાને વિષે ગગનવલ્લભ પ્રમુખ સાઠ નગર વસાવી આપ્યાં તથા વિદ્યાને બલે કરી તિહાં લોકોની વસ્તી પણ કરી આપી. પછી તે દિશાને નમિ અને વિનમિ એ બેહુ ભાઇ રાજ્ય પાલવા લાગ્યા, અંતે બેહુ ભાઇ પોતપોતાના પુત્રને રાજ્યપાટે સ્થાપી પોતે સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરી શ્રીવિમલાચલ તીર્થે આવી શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર કરી તેહિજ પર્વત ઉપર સાધુની બે કોડી સાથે મોક્ષે પહોંતા. એ નમિ વિનમિનો સંબંધ કહ્યો. હવે શ્રીરૂષભદેવસ્વામીના થયેલા ગણધર શ્રીપુંડરીકજી ચૈત્રી પૂનમને દિવસે એ પર્વત ઉપર મોક્ષે ગયા. જેથી એ પર્વતનું નામ પુંડરીકિરિ કહેવાય છે, માટે તે પુંડરીક ગણધરની કથા કહે છે. શ્રીઋષભદેવસ્વામી છદ્મસ્થપણે વિહાર કરતાં પુરિમતાલની સમીપે શકલમુખ ઉદ્યાન માંહે આવ્યા. તિહાં પ્રભુને કેવલજ્ઞાન ઉપન્યું. તે વારે સર્વ ઇંદ્રાદિક દેવોએ મલી સમોસરણની રચના કરી. સેવકે આવી ભરતરાજાને પ્રભુને થયેલા કેવલજ્ઞાનની વધામણી આપી, તે સાંભલી ભરત રાજા ઘણો હર્ષ પામ્યો થકો બેઠો છે. એટલામાં વલી બીજો સેવક આવ્યો, તેણે પણ આવી વધાઇ આપી કે હે મહારાજ ! આયુધશાલાને વિષે તેજપુંજે કરી વિરાજમાન એવું ચક્રરત ઉપન્યું છે. તે સાંભલી ભરતજીએ મનમાં વિચારવું જે બેહુ વધાઇ સાથે આવી તો હવે પ્રથમ મહોત્સવ કેનો કરીએ? જે માટે ચક્રરતનો મહોત્સવ તો કેવલ કર્મબંધનું કારણ અને આ ભવનો અર્થ સાધક છે, અને તીર્થંકરના કેવલજ્ઞાનનો મહોત્સવ જે કરવો, તે તો ઇહભવ પરભવ સંબંધી સર્વ અર્થનો સાધક છે, માટે પ્રથમ કેવલજ્ઞાનનો મહોત્સવ કરવો. એમ નિર્ધારી ચતુરંગણી સેના લઇ મરુદેવા માતાની સાથે હાથી ઉપર ચડી અનેક પ્રકારનાં વાજિંત્ર વાજતે અયોધ્યા થકી બહાર નીકલી પ્રભુની સમીપ જાય છે, તેવામાં પ્રભુ આગલ દેવદુંદુભિનો ધ્વનિ ૨૧ ચૈત્રી પૂનમ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy