SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ એકદા પ્રસ્તાવે ચોર લોકોએ સાંભળ્યું જે સુવ્રત શેઠ મૌનઅગીયારશને દિવસે કુટુંબ સહિત મૌન રહીને પોસહ કરે છે, તેથી ચોરની ધાડ આવી તે શેઠનું ધન લેવા ઘરમાં પેઠી; પણ રાત્રિ પડી હતી, તેને યોગે કાંઈ સૂજે નહીં, તેથી ચોરોએ અગ્નિ આણી ઉદ્યોત કરીને માલ લુંટી લેવા માંડ્યો. તે વખત શેઠ કાઉસગ્ગધ્યાને ઉભો છે, તેણે ચોરોને દીઠા અને મનમાં વિચારવા લાગ્યો જે મારું ધન ચોર લઈ જાય છે તે તો ભલે લઈ જાઉં, પરંતુ એણે અગ્નિ પ્રગટાવ્યો છે તે મારા ઔદારિક શરીરના યોગે અગ્નિકાય જીવો હણાય છે, તેની વિરાધના મારાથી થાય છે. એમ વિરાધના સંબંધી પ્રશ્ચાત્તાપ કરતો મનમાં ચઢતે પરિણામે ધર્મધ્યાન નિશ્ચલ ચિત્તથી ધ્યાવે છે. - એવા સમયે ચોરોએ પણ ધન લઇને ચાલવા માંડ્યું. પરંતુ શેઠના ધર્મપસાયથી શાસનદેવતાએ ચોરને ચિત્રામની પેરે થંભી રાખ્યા, તેથી ચોરો તિહાંજ નિશ્ચલ થઈ ઉભા રહ્યા. એમ કરતાં પ્રભાત થયું, તે વારે શેઠ કુટુંબ સહિત ધર્મશાલાએ જઈ ગુરુની આગલ પોસહ પારી, જ્ઞાનની પૂજા કરી, વ્યાખ્યાન સાંભલી દેરે જઈને શ્રીજિનેશ્વરને વિધિપૂર્વક વાંદી પૂજીને ઘેર આવ્યા. તિહાં ચોરોને તેમના તેમજ ઉભા દીઠા. લોકો તે વાત જઈ રાજા આગલ કહી, જે સુવ્રતશેઠને ઘેર ચોર લોકો ચોરી કરવા પેઠા હતા, તે થંભાઈ ગયા છે. તે સાંભલી રાજાએ તે ચોરોને પકડી લાવવા માટે સુભટો મોકલ્યા. તેને આવ્યા જોઇ શેઠ મનમાં ચિંતવવા લાગ્યા જે, એ ચોરોને રાજા હણશે, દુઃખ ઉપજાવશે, તો મહા અનર્થ થશે. એવો કરુણભાવ ચોરોની ઉપર આણ્યો, તેથી શેઠના તપના પ્રભાવથી રાજાના સુભટો પણ થંભાઈ ગયા. તે પણ ચોરની પેરે હાલી ચાલી શકે નહીં. એ વ્યતિકર લોકોના મુખથી રાજાએ સાંભલ્યો, તે વારે સપરિવારે રાજા પણ તિહાં આવ્યો. એટલે સુવ્રત શેઠ સામો જઈ રૂડાં વસ્ત્ર, આભૂષણ ભેટ કરી હાથ જોડી રાજાને ચરણ નમીને ચોરનું અભયદાન માંગ્યું, તે વારે રાજાએ પણ ઘણા પ્રસન્ન થઈને તે ચોરોની તકસીર માફ કરી. પછી શેઠે ચોરોને કહ્યું કે તમે સુખે તમારે ઘરે જાઓ, એમ કહી શીખ દીધી. શેઠની મરજી જાણી શાસનદેવતાએ પણ ચોર તથા સુભટાને સ્તંભનમુક્ત કર્યો, તે વારે સહુ પોતપોતાને સ્થાનકે. ગયા. તલારરક્ષક પ્રમુખ સર્વ લોક જૈનધર્મ પાલવા લાગ્યા. શ્રીજિનશાસનનો મહિમા વધ્યો. રાજા પણ વિસ્મય પામ્યો. મૌન એકાદશી ૧૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy