SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વલી એકદા મૌનએકાદશીને દિવસે શેઠ, પોતાના ગૃહને વિષે પૌષધ લઈ મૌનપણે કાઉસગ્ગ ઉભા છે, તે અવસરે નગરમાં અગ્નિનો પલેવો લાગ્યો. તે દેખીને સર્વે લોક કોલાહલ કરવા લાગ્યાં, અને અગ્નિ તો સર્વ નગરમાં પસરી ગયો. શેઠને પાડોશી લોકો બુમ પાડી કહેવા લાગ્યાં કે હે શેઠજી ! તમો જલદી ઘરથી બહાર નીકળી આવો હઠ મ કરો. તે સાંભલી શેઠ તો કુટુંબ સહિત કાઉસગ્ન કરતાં ત્યાંજ રહ્યા. લગાર માત્ર પણ અગ્નિથી બીના નહીં. તિહાં ધર્મના પ્રભાવથી શેઠનાં ઘર, હાટ, વખારો, અને શેઠની ઉપભોગ્ય વસ્તુ તથા જિનભવન અને પૌષધશાલા, એ સર્વને ટાલીને શેષ સર્વ નગર બલી ભસ્મ થયું. જે વારે પ્રભાત થયું, તે વારે સુવ્રત શેઠનો માલ સર્વ અગ્નિમાંથી ઉગણ્યો જોઇને સર્વ નગરવાસીજનો શેઠનો ધન્યવાદ બોલવા લાગ્યા. તે વાત રાજાએ પણ સાંભલી અને હાથી, ઘોડા, મનુષ્ય, રથ, પ્રધાન સામંતાદિક પરિવાર પ્રમુખ સાથે લઈ રાજા પોતે શેઠનું ઘર જોવા આવ્યો, તે વારે સર્વ માલ અખંડ રહ્યો દેખી રાજા ઘણું આશ્ચર્ય પામ્યો. શેઠે પણ રાજાને આવ્યો જાણીને તેની આગલ ભેટ મૂકી, મોતીને થાલે વધાવ્યો. રાજાએ પણ શેઠની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે તુજને ધન્ય છે, તું આ નગરનું આભરણ છો. એમ કહી રાજાએ શેઠને તથા તેની અગીયાર સ્ત્રીઓને ઘણાં વસ્ત્ર, અલંકાર પહેરાવી માન મહત્ત્વ આપી શેઠને મલી રાજા પોતાને મંદિર ગયો. નગર લોક સર્વ શ્રીજૈનધર્મની પ્રશંસા કરવા લાગ્યાં, અને કહેવા લાગ્યાં કે અહો! જૈનધર્મનો મહિમા પ્રત્યક્ષ નયણે દીઠો. તપ પૂર્ણ થયાથી શેઠે ઉજમણું કર્યું. લાડવા પ્રમુખ પક્વાન્ન સર્વ અગીયાર અગીયાર ઢોક્યાં. તથા અગીયાર પ્રકારનાં ધાન્ય અને ફલ ઢોઈ તપ શુદ્ધ કરી સ્વામીવાત્સલ્ય સંઘપૂજાદિક, બીજાં પણ ઘણાંક ધર્મકાર્ય કયાં. પછી જે અગીયાર સ્ત્રીઓ હતી, તે પ્રત્યેક સ્ત્રીને અગીયાર અગીયાર પુત્ર થયા, તેને પરણાવ્યા. તથા અગીયાર પુત્રીઓ થઇ, તેને પણ પરણાવી. અનુક્રમે તે સુવ્રત શેઠ મહા રુદ્ધિવંત થયા. નવાણું ક્રોડ સોનૈયા ઉપાર્જન કરી ધનવાન્ થઈ દાન પુણ્ય કરવા લાગ્યા. વૃદ્ધાવસ્થા થયે થકે એકદા શેઠે મનમાં વિચાર્યું કે મેં આજ પર્યત ગૃહસ્થનો ધર્મ પાલ્યો, મૌનએકાદશીનું તપ પૂર્ણ કરી ઉજમણું પણ કર્યું. તો હવે જો રૂડા ગુરુ પાસેથી દીક્ષા લઇ શુદ્ધ ચારિત્ર પાલું. તો મારો જન્મ સફલ થાય. એવો મનોરથ મનમાં ઉપજ્યો. તે વારે સર્વ પરિવારને પૂછી તેમની આજ્ઞા લીધી. મૌનએકાદશી ૧૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy