SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સુવ્રતને ઘરનો ભાર ભલાવી પોતે શ્રાવકનો ધર્મ સાચવવામાં સાવધાન થયો. સામાયિક, પડિક્કમણું, પોસહ, શીલવ્રત, દાન, પુણ્ય, તપ પ્રમુખ ધર્મક્રિયા કરતો વિચરે છે. છેવટ અનશન કરી મરણ પામી દેવલોકે ગયો. પાછલ સુવ્રત શેઠ અગીયાર કોટી ધનનો ધણી થયો. લોકમાંહે માનનીય થયો. અન્યદા પ્રસ્તાવે તે નગરના ઉદ્યાન માંહે શીલસુંદર નામે આચાર્ય આવી સમોસયા. તે આચાર્ય કેવા છે? તો કે ચાર જ્ઞાન સહિત છે, પાંચ ઇંદ્રિયના વિષયને જીત્યા છે, નવ વાડ સહિત બ્રહ્મચર્યના પાલનાર, ચાર કષાયના ક્ષીપક, પંચ મહાવ્રતના પાલક, પંચાચારના પાલણહાર, પાંચ સમિતિ અને ત્રણ ગુતિના ધરનાર, છત્રીશ ગુણે કરી બિરાજમાન, અનેક ભવ્ય જીવોને ધર્મોપદેશ આપી ધર્મને વિષે દઢ કરનાર, મનના સંદેહને ટાલનાર, જ્ઞાનલોચનના દાતાર, અજ્ઞાનતિમિરના ટાલનાર, મોક્ષમાર્ગના દેખાડનાર છે. તે અનેક સાધુના પરિવારે પરવસ્યા થકા વનમાં ઉતર્યા છે. હવે તેની વનપાલકે આવીને તરત રાજાને વધામણી દીધી કે મહારાજ ! આપના ક્રિીડાવન માંહે ગુરુ પધાર્યા છે. એવી વાત સાંભલીને જેમ મેઘના આગમનથી મોર રળિયાત થાય, તેમ રાજા રવિયાત થયો, અને વનપાલકને વધામણીમાં ઘણું દ્રવ્ય આપીને વિસર્જન કરો. પછી રાજા ઘણા હસ્તી, ઘોડા, વાજિંત્ર પ્રમુખના આડંબર સહિત પોતાના પરિવારને સાથે લઈ નગરલોકનાં વૃંદ સહિત મુનિને વાંદવાને અર્થે ચાલ્યો. સુવ્રતશેઠ પણ ગુરુને વાંદવા આવ્યો. પછી તિહાં મુનીશ્વરે પણ સર્વ પર્ષદાની આગલ ધર્મોપદેશ દેવા માંડ્યો. તિહાં માર્ગશિર શુદિ અગીયારસનું વ્યાખ્યાન કીધું. તે સુવ્રત શેઠે સાંભળ્યું. તેનો ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉપન્યું. તે જ્ઞાને કરી પૂર્વભવ સાંભઢ્યો કે હું પોતે અગીયારશનું તપ આરાધીને આરણ્યદેવલોકે ગયો. તિહાંથી ચવીને ઈહાં હું સુવ્રતશેઠ થયો છું. એમ વિચારી ઉભો થઈ બે હાથ જોડી કહેવા લાગ્યો કે હે ભગવન્! મને જે અંગીકાર કરવા યોગ્ય હોય તે કહો. તે વારે ગુરુએ પણ તેમજ પૂર્વભવની વાત કહી સંભલાવી, અને કહ્યું કે પૂર્વ ભવમાં મૌન એકાદશીનું તપ કર્યું હતું, અને હમણાં પણ એજ તપ કર. એ થકી તું મોક્ષનાં સુખ પામીશ. તે સાંભલી કુટુંબ સહિત મૌનઅગીયારશનું તપ આદર્યું. એકાદશીને દિવસે કુટુંબ સહિત મૌનપણે રહી અહોરન્તો ચઉવિહાર પોસહ ઉપવાસ કરે. મૌનએકાદશી ૧૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy