SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનો ત્યાગ કરે, તેમજ બીજાં જે પોતાનાં દાસ દાસીઓ હોય, તેમને પણ અનુમતિ એટલે આજ્ઞા આપે નહીં, અને મૌનપણે રહી ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરી જયણા સહિત અહોરાત્ર આઠ પહોરો પોસહ કરે. તેમાં ધર્મવિચાર, ધર્મકથા, ધર્મચર્ચા પ્રમુખ ગુરુ સંઘાતે તથા સાધમ સંઘાતે ગાઠે સ્વરે કરે, તથા ગાઠે સ્વરે શાસ્ત્ર ભણે, ગણે સ્વાધ્યાય કરે, તો તેથી મૌનવ્રતનો ભંગ થાય નહીં, પરંતુ સાવદ્ય વચન બોલે નહીં, વિકથા કરે નહીં. એ રીતે આહટ્ટ દોહટ્ટ વર્જી પોષણ કરીને પારણાને દિવસે ગુરુની પાસે પૌષધ પારી પછી જ્ઞાનપુસ્તક પૂજી, દેરાસરે જઈ, શ્રીજિનેશ્વર આગલ નાલીયેર, સોપારી આદિક ઉત્તમ ફલ ઢોઇને પૂજા કરે. પછી પોતાને ઘરે આવી સાધુ સંવિભાગ કરી એટલે સાધુને વહોરાવી સ્વામીભાઈને જમાડી તેમની વિશેષ ભક્તિ કરી પારણું કરે. એવી રીતે એ તપ અગીયાર વર્ષ પર્યત કરે. અગીયાર વર્ષને છેડે પૌષધ પારી શ્રીજિનેશ્વર આગલ પક્વાન્ન, ફલ, ધાન્યાદિક સર્વ અગીયાર અગીયાર વાનાં ઢોકવાં. તથા જો સામર્થ્ય ન હોય તો પણ જઘન્યથી અગીયાર શ્રાવક તો જરૂર જમાડવા તથા શ્રી સંઘનું પૂજાવાત્સલ્ય કરવું. અગીયાર અંગ લખાવવાં ઇત્યાદિક યથાશક્તિ ઉજમણું કરવું, તેથી મોટો લાભ થાય. તે માર્ગશિર શુદિ અગીયારશનો દિવસ આવતી કાલે છે, એવું ભગવાને કહે થકે ફરી શ્રીકૃષ્ણજીએ પૂછ્યું કે હે ત્રિભુવનનાથ ! પૂર્વે કયા પુણ્યવંત જીવે એ અગીયારસનું આરાધન કર્યું ? અને તેથી તેને કેવાં કેવાં ફળ પ્રાપ્ત થયાં ? તે કૃપા કરી કહો. તે વારે ભગવાન્ કહે છે કે હે વાસુદેવ ! સાંભલ. ઘાતકીખંડના દક્ષિણ ભરતાદ્ધને વિષે ચોરાશી ચૌટા અને અનેક દાનશાલાએ કરી શોભિત એવું વિજયપુર નામે નગર છે. તે નગર ગઢ, મઢ, ગોખ, જાલીએ કરી વિરાજમાન છે, પ્રત્યક્ષ દેવલોક સમાન છે. તેમાં અનેક વ્યાપારી ઘણા ધનવંત સુખી લોક વસે છે, તિહાં નરવર્મા નામે રાજા રાજ્ય કરે છે. તે રાજા મહા ન્યાયવંત, ગુણવંત, દાતા, ભોક્તા, પ્રજાને પાલનાર, પ્રજાનો ભય ટાલનાર, શત્રુનો મદ ગાલનાર, એવો મહા પરાક્રમી છે. તેની ચંદ્રાવતી નામે ભાર્યા છે, તે પણ સ્વરૂપવાન, ચંદ્રમાં સરખા શીતલ પરિણામવાલી, શીલગુણે કરી શોભાયમાન, ચોસઠ કલામાં પ્રવીણ છે અને રાજાને અત્યંત વલ્લભ છે. મૌન એકાદશી) ૧ ર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy