SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [[૨]] અથ શ્રી મૌનએકાદશી વ્રતકથા પ્રારંભઃ શ્રીમહાવીરસ્વામીને વાંદી નમસ્કાર કરીને શ્રીગૌતમસ્વામી પૂછતા હતા કે હે ભગવન્ ! હે અનંતજ્ઞાનવંત ! માર્ગશિર શુક્લ એકાદશીનો પૌષધ કરે, તેનું શું ફલ થાય ? એમ પૂછે થકે પ્રભુ શ્રીમહાવીર કહેતા હતા કે હે ગૌતમ! સાંભલ. એકદા પ્રસ્તાવે દ્વારિકા નગરીને વિષે શ્રીનેમનાથ ભગવાન સમોસરણ્યા. તેમને શ્રીકૃષ્ણ ત્રણ પ્રદક્ષિણા દઇ વિનયપૂર્વક વંદન કરી પર્ષદામાં બેઠા, અને ભગવંતે દેશના દીધી. દેશના સમાપ્ત થયા પછી શ્રીકૃષ્ણજી પૂછવા લાગ્યા કે હે સ્વામી ! વર્ષના ત્રણસેં સાઠ દિવસ થાય છે, તે સર્વમાં એવો કયો દિવસ છે, કે જે દિવસમાં અલ્પ વ્રત તપ પ્રમુખ કરે થકે પણ તે દિવસ બહુ ફલ આપનારો થાય? તે વારે ભગવાન્ કહેતા હતા કે હૈ કૃષ્ણ ! માર્ગશિર શુદિ અગીયારશને દિવસે અલ્પ પુણ્ય કરે થકે પણ બહુ પુણ્ય થાય, તેથી એ પર્વ સર્વ પર્વો માંહે ઉત્તમ છે, માટે તે આરાધવા યોગ્ય છે. કેમ કે એ દિવસે આ ભરતક્ષેત્રમાં અઢારમા શ્રીઅરનાથજીએ દીક્ષા લીધી છે, તથા એકવીશમા શ્રીનમિનાથજીને કેવલજ્ઞાન ઉપજ્યું છે તથા ઓગણીસમા શ્રીમલ્લિનાથજીનો એ દિવસે જન્મ થયો છે. વલી દીક્ષા પણ એજ દિવસે લીધી છે તથા કેવલજ્ઞાન પણ એજ દિવસે ઉપન્યું છે. એમ પાંચ કલ્યાણક એજ ક્ષેત્રમાં એજ ચોવીશીએ તીર્થંકરોનાં થઇ ગયાં છે. તેવા પાંચ ભરત તથા પાંચ ઐરવત મલી દશે ક્ષેત્રમાં પાંચ પાંચ થઇ ગયાં છે, સર્વ મલી પચાસ કલ્યાણક થયાં. તે વર્તમાન ચોવીશીનાં ગણવાં, તેમજ અતીત ચોવીશી તથા અનાગત ચોવીશીનાં પણ પચાસ પચાસ ગણવાં. તે વારે દોઢસો કલ્યાણક થયા, માટે એ અગીયારસને દિવસે જો એક ઉપવાસ કરીએ, તો દોઢસો ઉપવાસનું ફલ થાય, તેથી એ દિવસે ઘર સંબંધી સાંસારિક કાર્ય મૌનએકાદશી૦ ૧૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy