SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મદ્યપાનાદ્યથા જીવો, ન જાનાતિ હિતાહિકમ્ | ધર્માધર્મો ન જાનાતિ, તથા મિથ્યાત્વમોહિતઃ // ૧ / અર્થ : જેમ મધુપાન કયાથી જીવ હિતાહિતને ન જાણે, તેમ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વી જીવ, ધર્મ અધર્મને ન જાણે | ૧ | મિથ્યાત્વેનાલીઢચિત્તા નિતાંત, તત્ત્વાતત્ત્વ જાનતે નૈવ જીવાઃ II. કિં જાત્યંધાઃ કુત્રકિસ્તુ જાતે, રમ્યારણ્યવ્યક્તિમાસાધ્યયુઃ // ૨ // અર્થ: મિથ્યાત્વે કરીને જે પ્રાણીનો જીવ મોહેલો છે, તે પ્રાણી તત્ત્વાતત્ત્વને જાણતો નથી. જેમ કોઈ જન્માંધ પુરુષ કોઈ વસ્તુ પામીને તે ભલી બુરી જાણે નહીં તેને પેરે જાણવું . ૨ | અભવ્યાશ્રયિમિથ્યાત્વેડનાઘનતા સ્થિતિર્ભવેત્ સા ભવ્યાશ્રય-મિથ્યાત્વે-૭નાદિ સાંતા પુનર્મતા // ૩ // અર્થ તે અભવ્ય આશ્રયી તો મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત હોય, અને ભવ્યજીવ આશ્રયી તો મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાંત હોય | ૩ || એવા મિથ્યાત્વના ઉદયે કરી જીવ અનંતા કર્મ બાંધે. તેમ તારે પુત્રે પણ એવાં માઠાં કર્મ ઉપાર્જન કર્યા છે, તેણે કરી પાંગલો થયો છે. એવાં મુનિશ્વરનાં વચન સાંભલીને રાજાએ પૂછ્યું કે હે સ્વામી! હવે એ કુમરનાં કર્મ નિવારણ થાય, એવો કોઇક ઉપાય બતાવો. તે વારે મુનિરાજ કહેતા હતા કે હે રાજન! ત્રીજા આરાને છેડે ત્રણ વર્ષને સાડા આઠ મહિના શેષ રહે થકે મહા વદિ તેરશને દિવસે શ્રીરૂષભદેવસ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે, માટે એ દિવસનું માહાભ્ય મોટું છે, તેથી એને મોટું પર્વ ગણીને જે વારે એ દિવસ આવે, તે દિવસે ચઉવિહારો ઉપવાસ કરી, રતનાં પાંચ મેરુ કરવા, ચારે દિશાએ ચાર નાના મેરુ કરવા, તેની આગળ વલી ચાર દિશાએ ચાર નંદાવર્ત કરવા, દીવો, ધૂપ પ્રમુખ ઘણા પ્રકારની પૂજા કરવી. એવી રીતે તેર મહીના પર્વત અથવા તેર વર્ષ પર્યત કરવું અને શ્રીરૂષભદેવસ્વામીનું પારંગતાય નમઃએવું બે હજાર ગણણું ગણવું. નોકારવાલી ગણવી. એવી રીતે મહીને મહીને કરે, તો સર્વ કર્મનો ક્ષય થાય. આ ભવ તથા પરભવને વિષે સુખ સંપદા પામે. વલી તેરશને દિવસે પોસહ કરે. પારણાને દિવસે ગુરુને પડિલામી અતિથિસંવિભાગ કરી પારણું કરે. એવાં ગુરુનાં વચન મરતે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy