SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વિશાલકીર્તિ નામે રાજા તેની શિવા નામે દાસીની કુખે આવી પુત્રપણે ઉત્પન્ન થયો. તિહાં તેને ગલતકોઢનો રોગ થયો. તેણે કરી હાથ પગ ખરી પડ્યા, એટલે પાંગલો થયો. પછી અંત સમયે શિવાદેવી દાસીએ નવકાર મંત્ર સંભળાવ્યો, તેથી સમાધે પરણ પામી વ્યંતરિક દેવતા થયો તિહાંથી ચવી આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સૌહાર્દપુર નગરે સૂરદાસ શેઠને ઘેર વસંતતિલકા ભાર્યાની કૂખે પુત્રપણે ઉપન્યો. તેનું સ્વયંપ્રભ નામ પાડયું. તે ઘણો ગુણી અને વિવેકી થયો, પણ તેના પગમાં ગડગુંબડા ઘણાં થયા કરે, તેથી તે ચાલી પણ શકે નહીં, અત્યંત દુઃખી રહે. એમ કરતાં અનુક્રમે જે વારે તે આઠ વર્ષનો થયો, તે વારે આપણને એકજ પુત્ર છે અને તે પણ પગે રોગી છે એવો બનાવ જોઈ તેનાં માતાપિતા ઘણાંજ ચિંતાતુર થકાં રહે છે. એવા સમયમાં શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે મોટો સંઘ જવાને તૈયાર થયો. તે વાત સાંભળી શેઠ પણ પોતાના રોગી પુત્રને સાથે લઈ તે સંઘની યાત્રા કરવા માટે ચાલ્યા. તે ચાલતાં ચાલતાં અનુક્રમે સર્વ શ્રીસંઘ તિહાં શ્રીસિદ્ધક્ષેત્રે આવી પહોંચ્યા. તિહાં મુકામ કરી પછી દર્શન કરવા નિમિત્તે સર્વ લોક ડુંગર ઉપર ચડ્યા. તેમણે શ્રીરૂષભદેવજીની સેવા ભક્તિ કરી અને સૂરદાસ શેઠે પણ પોતાની ભાર્યા સહિત પુત્રને લઈ પર્વત ઉપર ચઢી સૂર્યકુંડના પાણીમાં પુત્રને સ્નાન કરાવ્યું, પરંતુ તે જલ દેવતા અધિષ્ઠિત છે અને સ્વયંપ્રભ કુમારને હજી ઘણાં કર્મ ભોગવવાં શેષ રહ્યાં છે, તેણે કરી તે કુંડનું પાણી પગને છબે નહીં. તે દેખી સર્વ સંઘના લોકો વિસ્મય પામ્યા થકા સર્વ જણ મલી મુનિરાજ પાસે જઈ વંદન કરી એનો વિચાર પૂછવા લાગ્યા. મુનિશ્વરે કહ્યું કે એણે પૂર્વભવમાં ઘણું દેવદ્રવ્ય ભક્ષણ કર્યું છે, વલી એક મૃગલીના ચાર પગ છેદ્યા છે તેમાંથી ઘણાંએક કર્મ તો અકામનિર્જરાએ ક્ષય થયાં છે, અને શેષ વલ્પ રહ્યાં છે, પણ તે કર્મ નિકાચિત ચીકણાં છે, માટે તેનો તે ભોગવ્યા વિના છૂટકો થવાનો નથી. તેને યોગે એને તીર્થજલનો સ્પર્શ થતો નથી, એવું મુનિનું વચન સાંભલી માતા, પિતા અને પુત્રએ ત્રણે જણ વૈરાગ્ય પામ્યાં. પછી શ્રીરૂષભદેવનાં ચરણકમલને નમસ્કાર કરી ઘેર આવીને ધર્મને વિષે ઉદ્યમવંત થયાં. તે કુમર સોલ હજાર વર્ષ પર્યત કોઢ ફોડા પ્રમુખ રોગની વેદના ભોગવીને અંત સમયે કર્મ આલોચી શુભ પરિણામે મરણ પામી પહેલે દેવલોકે દેવતાપણે ઉપન્યો. તિહાંથી ચવીને હે રાજા ! એ તારો પુત્ર થયો છે, તેનું તે પિંગલકુમર એવું નામ પાડ્યું છે. એમ ગાંગીલ મુનિએ તે કુમારનો પૂર્વ ભવ કહ્યો. હવે વલી મુનિ કહે છે : મેરતેo Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy