SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તે વારે દુવ્યર્સન સેવવાથી તે પુત્રને અયોગ્ય જાણીને દેશ બહાર કાઢી મૂક્યો, તો પણ તે ગ્રહણ કરેલાં વ્યસનોને છોડે નહીં. પછી તે કુમર ઘણાક દેશો માંહે ફરતો ફરતો શિવપુર નગરે આવ્યો. તિહાં પંચક નામે શેઠે તેનાં સુંદર રૂપ, આકાર દેખીને જાણ્યું કે આ કોઈ ઉત્તમ પુરુષ છે. વલી આનું શરીર ઘણું સુકુમાર છે, માટે એનાથી કોઈ તરેહનું મહેનતનું કામકાજ થઈ શકશે નહીં. એવો વિચાર કરી પોતાના ઘરની પાસે ભગવાનનું દેરાસર હતું, તેની પૂજા કરવા માટે તેને પોતાને ઘેર રાખ્યો. પણ તે કુમર તો દુષ્ટાત્મા છે તેથી ભગવાન પાસે મૂકેલાં જે ચોખા, સોપારી, ફલ, પ્રમુખ હોય, તે છાનાં લઈ જઈને વેચી નાખે. તેનું જે દ્રવ્ય ઉપજે, તેણે કરી જુગાર રમે. એમ કરતાં ઘણા દિવસ વહી ગયા તે વારે પંચક શેઠને તે વાતની ખબર પડી. તેથી શેઠે કુમરને કહ્યું કે હે ભોલા! જે પ્રાણી દેવદ્રવ્ય પ્રમુખ ખાય, તે પ્રાણી ઘણો કાલ સંસારમાં પરિભ્રમણ કરે, તો હવે આજ પછી તું એવું કામ કરીશ નહીં. એવી રીતે ઘણી ઘણી શિખામણ દીધી, તોપણ તે દુષ્ટ મિથ્યાષ્ટિ તીવ્ર અજ્ઞાનના ઉદયથી કુકર્મ છોડે નહીં. હવે એક દિવસ ભગવાનનાં છત્ર પ્રમુખ આભરણ ચોરી તેને વેચીને તે દ્રવ્યથી કોઈક અનાચાર સેવ્યો, તે વાત શેઠના જાણવામાં આવી. તે વારે શેઠે તેને દુષ્ટાચારી જાણી ઘર થકી બહાર કાઢી મૂક્યો. તિમાંથી નિકલી વન માંહે ભમતો આહેડીનું કર્મ કરવા લાગ્યો. તિહાં મૃગ પ્રમુખ ઘણા જીવોનો વિનાશ કરતો થકો ઉદરપૂર્ણ કરે છે. હવે તે વનમાં તાપસીનો આશ્રમ છે, તિહાં ઘણા તાપસ તપસ્યા કરવા પડ્યા રહે છે. વલી વન માંહેથી ઘણા મૃગપશુ પણ આશ્રય લેવા માટે તે સ્થાનકે આવી બેસે છે. હવે એકદા કોઈ સગર્ભા મૃગલી તિહાં આવી, તેને સામંત કુમારે દીઠી, તે વારે બાણનો ઘા કરી તે મૃગલીના ચારે પગ છેદી નાખ્યા; તેથી તે મૃગલી નીચે ધરતી ઉપર પડી તેને તાપસે દીઠી. તે વારે ધર્મ સંભળાવ્યો, તેથી તે મૃગલી કાલ કરીને શુભ ગતિ પામી. પછી સામંતસિંહ કુમરને તાપસે કહ્યું કે હે દુe! તે જેવી રીતે મૃગલીના પગ છેદ્યા, તેવી રીતે તું પણ પરભવમાં પાંગલો થઇશ, એવો શાપ આપીને તાપસ પોતાને આશ્રમ ગયો, અને સામંતસિંહ પણ તાપસને ક્રોધાતુર થયો દેખી ભય પામતો થકો વનમાં નાસી ગયો; પણ અશુભ કર્મ ઉદયે તેને વનમાં એક સિંહ મલ્યો. તેણે તત્કાલ ફાલ મારી તે કુમારને મારી નાખ્યો. તિહાં અશુભ ધ્યાને મરણ પામીને નરકગતિમાં ગયો. તિહાંથી આયુ પૂર્ણ કરી ચવીને પછી અસંખ્યાતા તિર્યંચ તથા નારકીના ભવ કરયા. તેમાં અકામનિર્જરાએ કરી ઘણાં કર્મ ખપાવતાં ખપાવતાં એકદા મહાવિદેહ ક્ષેત્રને વિષે કુસુમપુર નગરનો મેરતેo Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy