SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જં ખંભચેર ભદા, પાય પાડંતિ ખંભયારીણું તે હુંતિ ટ્રુટમુંગા, બોહી પુણ દુલ્લહા તેસિં ॥ ૪ ॥ ભાવાર્થ : જે પ્રાણી પોતે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ, શીલગુણ રહિત થકા બીજા જે બ્રહ્મચર્યના પાલનાર મહાપુરુષો છે તેમને પગે લગાડે છે, તે પ્રાણી ઠૂંઠા, લૂલા, પાંગલા, બહેરા થાય, ઘણું દુખ પામે. વલી તે પ્રાણીને બોધિ જે સમકિત તે પણ દોહિલું ઉદય આવે ॥ ૪ ॥ માટે ધર્મનું મૂલ તે દયા છે અને પાપનું મૂલ તે જીવહિંસા છે. જે પોતે હિંસા કરે, બીજાની પાસે હિંસા કરાવે, તથા હિંસા જે કરતો હોય તેનાં વખાણ કરે એ ત્રણે જણ સરખું પાપફલ ભોગવે. માટે જે પુરુષ પાપ કરતો થકો પણ મનમાં કાંઇ બીક રાખે નહીં તો તેના હૃદયમાં દયા નથી. તથા જે પુરુષ નિર્દયી થકો ઘણા એકેદ્રિય જીવનો નાશ કરે, તે પ્રાણી પરભવમાં વાત, પીત્ત શ્ર્લેષ્મ ઇત્યાદિક અનેક રોગોનો ભોગવનારો થાય. વલી જે બેઇદ્રિય જીવોનો વિનાશ કરે, તે જીવ પરભવને વિષે મુંગો, મુખરોગો તથા દુર્ગંધ નિશ્વાસવાલો થાય. તથા જે જીવ તેઇદ્રિય જીવોનો વિનાશ કરે, તે જીવને પરભવમાં નાસિકાનો રોગ થાય. તથા જે જીવ ચઉરિદ્રિય જીવોનો વધ કરે તે જીવ પરભવને વિષે કાંણો, આંધલો, ચૂંચો ઇત્યાદિક આંખ સંબંધી અનેક પ્રકારના રોગોનો ભોક્તા થાય. તથા જે જીવ પંચેન્દ્રિય જીવોનો વિનાશ કરે, તે જીવ પરભવમાં પાંચે ઇંદ્રિયોનું નીરોગીપણું ન પામે. તે કારણ માટે હે ભવ્ય લોકો ! હિસાનો ત્યાગ કરો. જૂઠું બોલવાનો ત્યાગ કરી સત્ય વચન બોલો. આ પ્રકારનો ધર્મોપદેશ સાંભલીને રાજા, ગુરુ પ્રત્યે પૂછતા હતા કે હે સ્વામી! મારો પુત્ર કેવા પ્રકારના કર્મ કરી પાંગલો થયો હશે ? તે સાંભલી ગાંગીલ મુનિ ચાર જ્ઞાનના ધણી તે કુંવરના પૂર્વભવ કહેવા લાગ્યા કે હે રાજન! આ જંબુદ્રીપના એરવત ક્ષેત્રમાં અચલપુર નામના નગરને વિષે મહેંદ્રધ્વજ નામે રાજા હતો. તેની ઉમયા નામે પટ્ટરાણીનો સામંતસિંહ નામે કુમર હતો. એકદા તે કુમરને નિશાલે ભણવા જતાં માર્ગમાં જુગારી લોક મલ્યા. તેની સંગતથી તે જુગાર રમવા શીખ્યો. એમ અનુક્રમે તેણે નીચ જનોની સંગતથી સાતે દુર્વ્યસન સેવવા માંડ્યાં. પછી રાજાએ તેનાં વ્યસન વર્જન કરવા માટે ઘણા ઉપાય કર્યા, તથાપિ તે, વ્યસન મૂકે નહીં. વલી રાજાએ ઘણી શિખામણ પણ દીધી, પરંતુ કુમરે માની નહીં. મેરતે Jain Education International 2010_03 For Private & Personal Use Only પ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy