SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભલી અનંતવીર્ય રાજા પુત્રને વ્રત અંગીકાર કરાવી ગુરુને નમસ્કાર કરી પોતાને સ્થાનકે આવ્યો. તિહાં પિંગલ કુમારે પ્રથમ મહા વદિ તેરશને દિવસે વ્રત આદર્યું. તેણે કરી પગના અંકૂરા પ્રગટ્યા. એમ તેર માસ પર્યત કર્યું, તે વારે સુંદર રૂપવાન હાથ પગ પ્રગટ થયા. તે દેખી રાજા ઘણો હર્ષ પામ્યો. ધર્મનો મહિમા દેખીને પરમ વૈરાગ્યવાન્ થયો થકો વિશેષપણે ધર્મ કરવા લાગ્યો. પછી સોલ મહીને પિંગલ કુમારે ગુણસુંદરી કુમારીનું પાણિગ્રહણ કર્યું. વલી તે કુમાર બીજી પણ ઘણી કન્યાઓને પરણ્યો. ત્યારપછી અનંતવીર્ય રાજાએ પિંગલ કુમારને રાજ્ય સોપીને પોતે ગાંગલ મુનિ પાસે ચારિત્ર લીધું, તે નિરતિચારપણે પાલીને શત્રુંજય તીર્થને વિષે અણસણ કરી કર્મ ખપાવી મોક્ષપદ પામ્યો. - હવે પાછલ પિંગલ રાજા પણ પુત્રની પેરે પ્રજાને પાલતો નીતિ પ્રમાણે રાજ ચલાવે છે અને તેણે તેર વર્ષ પર્યત વિધિ સહિત મેરતેરશનું તપ કર્યું, તપ પૂર્ણ થયે પોતાની શક્તિ પ્રમાણે ઉજમણું કર્યું, તેર મોટા શિખરબંધી ભગવાનનાં દેરાસર કરાવ્યાં, તેમાં તેર પ્રતિમાઓ સોનાની ભરાવી અને તેર પ્રતિમા રૂપાની ભરાવી તથા તેર પ્રતિમા રત્નની ભરાવી, પાંચ મેરુ કરીને ચડાવ્યા, તેર વખત શ્રીસિદ્ધાચલજીના સંઘ કલ્યા, તેર સ્વામીવાત્સલ્ય કશ્યાં. એવી રીતે ઘણે પ્રકારે જ્ઞાનની ભક્તિ કરી. વલી ત્યાર પછી પણ કેટલાંક પૂર્વ વર્ષ લગણ વ્રત સહિત રાજ્ય પાલ્યું. છેવટ પોતાના મહાસેન નામે પુત્રને રાજ્યપદવી આપી પોતે શ્રીસુવ્રતાચાર્ય ગુરુ પાસે ઘણા રાજપુરુષોની સાથે દીક્ષા અંગીકાર કરીને દ્વાદશાંગી ભણ્યા. અનુક્રમે આચાર્યપદવી પામ્યા. તે વાર પછી ક્ષપકશ્રેણી ચઢવાને અર્થે આઠમે ગુણઠાણે શુક્લ ધ્યાન ધ્યાતા થકા ચારિત્ર પાલતાં અનુક્રમે બારમે ગુણઠાણે ચઢી તેના અંત સમયે ચાર ઘાતિકર્મ ક્ષય કરી તેરમા ગુણઠાણાના પ્રથમ સમયને વિષે કેવલજ્ઞાન પામ્યા. પછી પૃથ્વીમંડલને વિષે વિહાર કરતા, ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ દેતા થકા સર્વ બહોતેર લાખ પૂર્વનું આયુ પાલી ચૌદમે ગુણઠાણે પાંચ હૃસ્વ અક્ષર પ્રમાણ કાલમાં યોગનિરોધન કરી શેષ રહેલાં ચાર અઘાતિ કર્મને ખપાવી શરીર ત્યાગી પૂર્વ પ્રયોગ બંધન છેદન પ્રમુખ કરી એક યોજન પ્રમાણ લોકાંતે સિદ્ધક્ષેત્રને વિષે એક સમયમાં સાદિ અનંતમે ભાંગે જઈ સ્થિર રહ્યાં. એ રીતે પિંગલ રાજાથી આ મેરતેરશનું વ્રત પ્રવર્તમાન થયું. તે પછી કેટલાએક કાલ પર્યત તો રત્નમય મેરુ ચઢાવતા હતા. પછી કેટલાએક કાલ પર્યંત મેરતે૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy