SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવ્યાં. શ્રીગુરુને સર્વત્ર સ્થાનકે પૂજતા હતા. અમારિના પડછ વર્ષ વર્ષ પ્રત્યે મહોત્સવે કરીને શ્રીપર્યુષણપર્વને વિષે પ્રવર્તાવતા હતા. જેમ જેમ પૃથ્વીને વિષે ધર્મની વૃદ્ધિ થઈ, તેમ તેમ પૃથ્વીને વિષે કાલે મેઘવૃષ્ટિ થવા માંડી, એટલે ચોમાસાના દિવસોમાં જોતી વખતેજ મેઘવૃષ્ટિ થવા માંડી, પણ અકાલે ન જોઈએ, તે વખતે નહીં. વલી ધાન્યવંત પૃથ્વી થઈ, ગાયો દૂધ આપવા લાગી. વૃક્ષો બહુ પુષ્પ ફલ સહિત થયાં, તેમજ રતોને પ્રસવનારી ભૂમિ થઈ, મનની ચિંતાએ રહિત, રોગ રહિત એવા લોક થતા હતા, પુત્રના પુત્ર, તેના પુત્ર એવી કુલવૃદ્ધિ થઈ, ઘણા દીર્ધાયુવંત મનુષ્ય થયા, મનોવાંછિત પામનારા લોક થયા, એવા લોક સુખી થયા. જે મને કરી પણ મિથ્યાત્વ પાપ પ્રત્યે બોલે, તેને શાસન અધિષ્ઠાયિક દેવ દેવીઓ શિક્ષા આપે, એવું રાજ્ય પ્રવર્યું. હવે ગજસિંહ રાજાની ઋદ્ધિ કહે છે :- સોલ હજાર દેશના સ્વામી થયા, તેટલાજ સોલ હજાર રાજા સેવા કરતા હતા. પાંચસે રાણીઓ થઈ, ચોત્રીસ લાખ હાથી, ચોત્રીસ લાખ ઘોડા, ચોત્રીસ લાખ રથની સંપદા થઈ. અડતાલીશ ક્રોડ અરિહંતનાં ચૈત્ય કરાવ્યાં, પાચસે પુત્ર થયા. એ રીતે નિષ્કટક અખંડ રાજ્ય ઘણા કાલ પર્યત ભોગવીને અંતે મહેંદ્રદત્ત કુમારને રાજ્યપાટે સ્થાપી, પોતે શ્રીજયચંદ્રાચાર્ય પાસેથી દીક્ષા લઈ રુડી રીતે તપ, ચારિત્ર કરી પર્યુષણાપર્વ પ્રત્યે આરાધીને નિશ્ચ મોટા ઉદયનું કરનાર એવું જિનનામકર્મ ઉપાર્જીને શુભાનુભાવે પ્રાંત અનશન કરીને ચવીને બારમે દેવલોકે દેવતા થયા. તિહાંથી ચવી પૂર્વમહાવિદેહને વિષે તીર્થકરપદ પામી અરિહંતપદ ભોગવી મુક્તિપદ પ્રત્યે પામશે. એ શ્રીગજસિંહ રાજાની કથા સાંભળીને એ પર્વના વિધિને વિષે ઉદ્યમ કરવો. સડી બુદ્ધિનો ધણી છતે શુભ ધ્યાને દેવ ગુરુને પ્રણમે દાન આપે, જેણે કરી રાજના સુખની સંપદાનું વિસ્તારપણું ગજસિંહ રાજાની પેઠે થાય. એમ શ્રી મહાવીર સ્વામીના મુખ થકી શ્રીપજોસણપર્વના ફલનું સૂચન કરનારું એવું ગજસિંહ રાજાનું ચરિત્ર સાંભલી શ્રેણિકાદિક સર્વ લોક અષ્ટાહ્નિકાદિક મહોત્સવ સહિત પજોસણપર્વનું આરાધન કરવામાં ઉદ્યમવંત થયા. આનંદ સહિત શ્રીવર્ધમાન જિનને વાંદને, સર્વ પર્ષદા પોતપોતાને સ્થાનકે જતી હતી. ભગવાન્ પણ પૃથ્વીતલને વિષે વિચારતા હતા. એમ રુડા પર્વનો વિધિ કહ્યો. એ રુડા આચારના પ્રચારને જે ઉત્તમ પુરુષ કરે, તેણે કરી હિતનું ૧૯૨ શ્રી પર્યુષણા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy