SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પંચશિખરણી, અઠ્ઠાઈ પ્રમુખ તપે કરી સહિત વિધિપૂર્વક સમ્યક્ પ્રકારે પર્વ આરાધતે છતે પાપ રહિત થશો. વલી તમે આહેડાના વ્યસનને વિષે હમણાં મૃગનું યુગલ હણ્યું, તેથી નિશ્ચે મોટું ઉત્કૃષ્ટ વૈર કરવું, પણ પર્યુષણપર્વારાધન થકી આગામિક કાલે હલુઆકર્મી થશો. તેમ વલી એ પર્વ આરાધે છતે તમે ઉત્તરોત્તર શુભ સુખ પ્રત્યે ભોગવીને મુક્તિપદ પ્રત્યે પામશો. એવાં મુનિનાં વચન સાંભલીને સુમિત્ર ક્ષત્રી, જીવદયારુપ વ્રત સહિત પર્યુષણપર્વ આરાધવા અભિગ્રહ ગ્રહણ કરી મુનિ પ્રત્યે નમીને પોતાને ઘેર આવીને, તે દિવસથી માંડીને અખંડદ્રતને પાલતો રહ્યો છે. તે ક્ષત્રીએ સમ્યક્ પ્રકારે આરાધ્યું જે સુપર્વ, તેના યોગે શુભાનુબંધે કરી સમાધિ સહિત મરણ પામીને તમારો પુત્ર થયો. પૂર્વ ભવના વૈરાનુભાવે કરી તમારા પુત્ર ઉપર તમોને કોપ ઉપન્યો, તેથી તમે વધ કરવાનો આદેશ દીધો. વ્યંતરીએ પણ પૂર્વ ભવના વૈરના વશ થકી ઈહાં કુમર પ્રત્યે દેખીને વધ કરવાને અર્થે દેવદંભની કરણી તમને દેખાણી એ સર્વ કર્મો નીપજ્યું તે અન્યથા ન થાય. વલી દેશાટનમાં સંપત્તિનું પામવું થયું, તે પર્વારાધનનું ફલ જાણવું. એમ તે ગુરુના મુખથી પૂર્વ જન્મ સાંભલીને કુમાર જાતિસ્મરણ પ્રત્યે પામતા હતા, તે વારે જયસિંહ રાજા ગુરુનો ઉપદેશ સાંભલીને સંસાર થકી વિરક્ત થયા થકા ગજસિંહકુમરને રાજ્યપાટે સ્થાપીને પોતે દીક્ષા ગ્રહણ કરતા હતા. તે રાજર્ષિ ઘણાં વર્ષનું ચારિત્ર પાલીને રુડી ગતિના ભજનાર થયા, અને ગજસિંહકુમાર પણ ગુરુના મુખ થકી શ્રીસમ્યક્ત્વ મૂલ બાર વ્રત સહિત તે શ્રીપર્યુષણાપર્વનું આરાધવું તેને અભિગ્રહે કરી યુક્ત ગ્રહણ કરતા હતા. વલી સુખે કરી રાજ્ય પ્રત્યે વિલસતા હતા. શ્રીપર્યુષણપર્વને આરાધ્યું, તેને પુણ્યે કરી સુવર્ણ પુરુષ પામ્યા, વલી વિદ્યા પામ્યા, અને વાસુદેવની પેઠે ભરતાદ્ધને વશ કરી સોલહજાર રાજાનાં મસ્તક ઉપર આજ્ઞા સ્થાપીને પોતાના રાજ્યશાસન પ્રત્યે પાલતા હતા. વલી શ્રીજિનશાસનના પ્રભાવિક થયા. તે કેવી રીતે થયા ? તો કે ભારતáને વિષે સાત વ્યસન નિષેધીને પરદ્રોહ, હિંસા કરવી, અલીક બોલવું, પિશુનપણું, મત્સરપણું, જીવને હણવા, વલી ચોરી આદિક જે પાપ તે સર્વને નિવારીને પાપનાં નામ પણ નિષેધ્યાં, તથા ગામ ગામ પ્રત્યે શ્રીઅરિહંતનાં દેરાસર શ્રી પર્યુષણા Jain Education International 2010_03 For Private & Personal Use Only ૧૯૧ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy