SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુએ પૂર્વોક્ત રીતે પર્વોનું માહાત્મ્ય પણ કહી દેખાડ્યું. ઈત્યાદિક ધર્મકરણી સાંભલીને રાજા પૂછે છે કે હે સ્વામિન્ ! સર્વ પર્વને વિષે મોટું શાશ્વત વિશિષ્ટ પર્વ તે કયું છે ? તે વારે આચાર્ય બોલ્યા કે હે રાજન્ ! સર્વ પર્વમાં શાશ્વતું પજોસણપર્વ મોટું છે. વલી રાજાએ પૂછ્યું, એ પર્વ કેણે આરાધ્યું ? અને કેવું ફલ ઉપાર્જ્યું ? એમ પૂછવાથી ગુરુ કહે, સાંભલો. આ જંબુદ્રીપના ભરતક્ષેત્રને વિષે મગધ દેશે રાજગૃહી નગરીએ સુમિત્ર નામે ક્ષત્રીનો પુત્ર છે, તે ભદ્રક છે, પરંતુ મિથ્યાર્દષ્ટિ કૌલધર્મી આહેડાને વિષે રક્ત છે. તે એકદા મૃગયામિષે વનને વિષે ગયો છે. તિહાં યૌવનવયવાલું એવું મૃગમૃગલીનું જોડલું કામરક્ત દેખીને તે જોડલાને બાણે કરી હણ્યું. તે મૃગ સ્ત્રી ભરતાર બે જણા મરણ પામીને અકામનિર્જરાએ મનુષ્યનું આયુ બાંધીને કાંઈક પણ શુભ કર્મપરિણતિરુપ મનનો જે ભાવ, તેના યોગ થકી મૃગનો જીવ તે તમે થયા, અને મૃગલીનો જીવ તે દુષ્ટ વ્યંતરી થઈ, અને તે સુમિત્ર ક્ષત્રી વનના ગુચ્છમાં મૃગ જોવાને પેસતાં થકા તિહાં મુનિ પ્રત્યે દેખીને લજ્જાને પામ્યો, તે વારે ભદ્રક પરિણામે મુનિને નમસ્કાર કરી પાસે બેઠો, મુનિ પણ તેને ધર્મ કહેતા હતા કે હે મહાનુભાવ ! સદા નિરંતર જીવદયા પાલવામાં રમવું, ઇંદ્રિયવર્ગનું દમવું, સત્ય બોલવું, એ ધર્મનું રહસ્ય જાણવું, અને જે પ્રાણીવધ કરવાની ક્રીડા છે, જે મરમનાં ઉત્કૃષ્ટ જે ખોટાં વચન તે પણ બોલે, વલી જે કાર્ય કરે તે પણ પરને તાપ ઉપજાવે, એમ કરનારા જીવ અણમૂવે પણ મૂવા જેવાજ કહીએ. અર્થાત્ મરચા વિના પણ મરચાજ જાણવા. જે પ્રાણાંતે તૃણ મુખમાં જો ઘાલે તો તેવા વૈરીને પણ મૂકી દીએ, એવો ક્ષત્રીનો ધર્મ છે. તેમ છતાં જે સદાય તૃણનોજ આહાર કરે છે એવા પશુને કેમ હણીએ ? જે પોતે એકલો એકલા પોતાના જીવને કાજે કરી ઘણા જીવોની કોડીને દુઃખને વિષે સ્થાપે છે, તો તેનું શું શાશ્વતું આયુ છે ? તે માટે હિંસાનો પરિહાર કરવો. એવો ઉપદેશ સાંભલીને પાપે કરી ઘણો પ્રકંપતો થકો સુમિત્ર ક્ષત્રી બોલ્યો કે હે સ્વામી ! મેં ઘણે પ્રકારે પાપ કરચાં છે, માટે હું શ્યા પ્રકારે કરીને પાપ રહિત થાઉં ? એવું પૂછે થકે મુનિ બોલ્યા કે હે ભવ્ય ! તમે પાપભીરુપણા માટે શ્રીપર્યુષણપર્વમાં અટ્ટમ, અક્ષયનિધિ, છઠ્ઠભક્તિ, શ્રી પર્યુષણા ૧૯૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy