SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ તિહાં મંત્રીશ્વર અને નગરના લોક તથા મહાજને કરેલા મહોત્સવ સહિત નગરમાં પ્રવેશ કરતો હતો. હવે કુમાર તિહાં સર્વ ઋદ્ધિ મેળવીને સુખે રાજ્ય પ્રત્યે પાલતો હતો. એકદા કુમર પોતાના પિતાને મળવા માટે ઉત્કંઠિત થકો ઉજ્જણીપુર ભણી પોતાના સૈન્ય તથા ઋદ્ધિએ યુક્ત ચાલતો હતો. માર્ગની વચમાં જે જે દેશ આવ્યા, તેને સાધતો માલવ દેશે અવંતી નગરીએ આવીને પોતાના પિતાના ચરણને નમસ્કાર કરી પછી માતાના ચરણે મસ્તક સ્થાપી નમસ્કાર કર્યો. પછી જયસિંહ રાજાએ પુત્રની ઋદ્ધિ દેખીને વિસ્મય પામી આનંદ સહિત તેનો મોટે મહોત્સવે કરી નગરમાં પ્રવેશ કરાવ્યો, અને તિહાં સુખે રહ્યા છે. એકદા રાજાએ પ્રથમનો સંબંધ પૂછે થકે કુમરે પણ આમૂલચૂલ સમસ્ત સંબંધ કહ્યો. તે વારે રાજા પ્રમોદ પામ્યો થકો મંત્રીશ્વર પ્રત્યે તેડાવીને આદર સહિત સુવર્ણપટ બંધાવીને તિમિરહર એવું બિરુદ પ્રત્યે દેતા હતા. હવે ગજસિંહકુમાર સુવર્ણ પુરુષને પસાથે કરી પૃથ્વીતલને વિષે લોકોને દરિદ્રતાથી રહિત કરતા યાચકજનોને નિયંચકપણું કરે એવા દાન પુણ્ય કરી સુખને ભોગવતાં કાલ નિર્ગમન કરતા હતા. એકદા રાજા કુમર સહિત રાજલક્ષ્મીએ સહિત રાજસભાએ બેઠા છે. તિહાં વનપાલકે આવી રાજાની આગલ ફલનું ભંટણું મૂકી ફૂલે વધાવીને કહ્યું કે હે નરેંદ્ર ! હમણાં યુગંધરાચાર્ય શમ, દમ ગુણે કરી સહિત, ચાર જ્ઞાનના ધરનાર, પાંચસે સાધુએ પરવયા થકા ઉજેણી નગરીના ઉપવનને વિષે સમોસમ્યા છે. એવા ઘણા ગુણના સમૂહના ધારક આચાર્યનું આગમન વનપાલકના મુખથી સાંભલીને રાજા આનંદ પામતો કુમર તથા અન્ય પરિવાર સહિત આચાર્યને વાંચવા માટે ઉપવનને વિષે આવ્યો. વિનયભક્તિભરે ગુરુને નમસ્કાર કરીને રાજા ગુરુના મુખ આગલ બેસી ધર્મ સાંભલવા લાગ્યો. આચાર્ય પણ યોગ્ય ઉપદેશ કહેતા હતા કે હે ભવ્યો! જીવની રક્ષા કરવી, વીતરાગની પૂજા કરવી, ભક્તિ કરી સિદ્ધાંતનું સાંભળવું, સાધુને નમવું, અહંકારનું ટાળવું, સખ્યત્વી ગુરુને માનવું, માયા કપટનું હણવું, ક્રોધનું ઉપશમાવવું, લોભરુપ વૃક્ષનું ઉમૂલન કરવું, મનનું શોધવું, ઇંદ્રિયનું દમવું, એ અગીયાર વાનાં જેને છે, તેજ મુક્તિ જવાના ઉપાયવાલા જાણવા. વલી શ્રી પર્યુષણા ૧૮૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy