SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ તે વારે વલી પણ વેશ્યાએ પૂછ્યું કે હે દેવજ્ઞ! તમે બીજી પણ કોઈ સિદ્ધવિદ્યા જાણો છો ? તે વારે બ્રાહ્મણ બોલ્યો કે હું તો સર્વ કાંઈ જાણું છું, તેથી હું સર્વજ્ઞ છું. મારણ, મોહન, સ્તંભન, વશીકરણ આદિક સર્વ વિદ્યા જાણું છું. વલી બાલનું તથા વૃદ્ધનું વય પરાવર્તન કરવાની વિદ્યા પણ મારી પાસે છે. તે સાંભલી વેશ્યા આનંદ પામીને બોલી કે હે બ્રિજરાજ ! હું વૃદ્ધ છું, માટે મને યૌવનવતી કરો. તે વારે વિજે કહ્યું કે જો તમે સયૌવન થાઓ, તો મુજને શું આપો? ત્યારે વેશ્યા બોલી કે લાખ સોનૈયા આપીશ. ત્યારે તે દૈવ પણ હાકારો કહ્યો, અને વલી બોલ્યો કે હે નગરનાયકા ! ફરીથી નવ યૌવન આવવાની જે વિદ્યા, તે સાધવાને અર્થે પ્રથમ મસ્તક મુંડન કરાવી નગ્ન થઈને પછી મારા દીધેલા અદશ્ય અંજનને આંખમાં આંજી અદશ્ય થઈને બલતા નીંભાડામાંથી અગ્નિ આણી આપો, તો પછી તે અગ્નિએ કરીને હું વિદ્યાનું આહ્વાન કરીશ. તે આહાને કરીને તમે સુપવાનું તથા યૌવન સહિત થશો. એવું નૈમિત્તિકનું વચન સાંભળીને તે વેશ્યા માથું મુંડાવી નગ્ન થઈ અંજન કરી નીભાડામાંથી અગ્નિ લેવા ગઈ. તિહાં નોંભાડાને ધૂમાડે કરીને વ્યાકુલ થયેલાં નેત્ર થકી અદશ્ય અંજન ગલિત થયું, તે વારે વિરુપ, નગ્ન અને મસ્તકે મુંડન થેયલી નવી સ્ત્રીપણે પ્રગટ દેખાણી. તેને દેખી ઘણા લોક એકઠા થઈ કહેવા લાગ્યા કે આ શાકિની લોકોને છલવાને અર્થે ઈહાં આવી છે, તેને જૂઓ, જૂઓ. આ કેવું આશ્ચર્ય છે ! એવામાં રાજપુરુષો આવીને તે શાકિનીની કરણી જોઈ તેને બાંધીને રાજભવને લઈ ગયા. તિહાં કૌતુક જોવાને રાજભવનમાં ઘણા લોકો એકઠા થયા, અને કોટવાલે રાજાની આગળ કહ્યું કે હે રાજન્ ! એ શાકિની નગ્ન થઈને લોકોને છલવાને અર્થે નીંભાડામાં જઈ મંત્રનું આહ્વાન કરતી અમે પકડી આણી છે. હવે જેમ આપની આજ્ઞા હોય, તેમ કરીએ. રાજાએ કહ્યું કે હે દુર્ગપાલ ! એને પ્રથમથી ચોરની પેરે વિટંબના કરીને પછી જલે ભરેલા જૂના કૂવામાં નાખીને એનું માથું નીચું અને પગ ઉંચા રાખજો. એવો રાજાનો આદેશ પામીને એ રાજપુરુષો તે કૂટણીને લાકડીઓ અને મુષ્ટિઓના પ્રહાર કરી મારતાં ખર ઉપર બેસાડી ઘણે પ્રકારે વિટંબના કરતા માર્ગને વિષે લોક દેખતે લેવામાં ચૌટાને વિષે આવ્યા, તેવામાં બીજી વેશ્યાઓએ તે વેશ્યાને વિટંબના પામતી સાંભલી. શ્રી પર્યુષણા ૧૮૭ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy