SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તમને તેડવા માટે મોકલી છે. એવી રીતે ધૂતીને તે બાલિકાઓને સર્વ વસ્તુઓ યુક્ત પોતાને ઘેર તેડી આવી. તિહાં વેશ્યાનું ઘર દેખીને બીતી થકી તે ચારે સ્ત્રીઓ પોતાના શીલરક્ષણને અર્થે એક ઓરડામાં પેસી દેઢ કમાડ દઈ કરી રહેતી હતી. જેમાં કોઈ રીતે તે કમાડ ઉઘડે નહીં એવી રીતે બંધ કરી મૂક્યાં. એવા અવસરે કુમર પણ વનને વિષે ફરી આવ્યો, અને જ્યાં આવે તિહાં ઘોડો, સ્ત્રીઓ અને સુવર્ણપુરુષ એમાંથી કોઈ પણ દીઠું નહીં, તે વારે કુમારે વિચાર્યું જે અહો ઈતિ આશ્ચર્ય ! મારી સ્ત્રીઓ આદિકને કોઈક ધૂર્ત અપહરી ગયો છે. એવું મનમાં ચિંતવી તેના પગને અનુસારે નાયિકાને ઘેર આવીને અંજનના પ્રભાવથી અદૃશ્ય થઈ તેના ઘરને વિષે પ્રવેશ કરી અશ્વાદિક દીઠા, તે સર્વ પોતાના છે એવો નિશ્ચય કરીને પાછો વલ્યો. પછી તે વેશ્યાને શિક્ષા દેવાને અર્થે બ્રાહ્મણનું રુપ કરી નિમિત્તિઓ થઈને વેશ્યાને ઘેર આવ્યો. વેશ્યા પણ તે તિજને દૂર થકી આવતો દેખી ઉતાવલી ઉઠીને સન્મુખ ઉભી આદર થકી આસન દઈ બેસાડી નમસ્કાર કરીને પૂછતી હતી કે હે કિજશ્રેષ્ઠ! મારા ઘરને વિષે ચાર સ્ત્રીરત્ન પોતાની મેલેજ લીલામાત્રે આવી રહેલ છે, પરંતુ કોઈક ભૂતાદિક દોષે કરી છલાણાં છે, તેથી ઓરડાને વિષે કમાડ બંધ કરીને માંહે બેઠેલ છે, માટે એના દોષ પ્રત્યે નિવારો તો તમોને વાંછિત આપીશ. એમ વેશ્યાએ કહે છત કુમર કહેવા લાગ્યો કે હે નાયિકા ! એ સ્ત્રીઓ તો કોઈક વિષમ આકરા દોષે કરી છલાણી છે, તે હું તેમની પાસે જઈને તેના શાકિની ભૂતાદિકના દોષને બોલાવીશ, તિહાં લગે તમારે દૂર રહેવું પડશે. એવું દ્વિજનું વચન સાંભલીને તે વચન વેશ્યાએ અંગીકાર કર્યું, તે વારે કુમર ઓરડાની પાસે જઈ બહાર ઉભો રહી કહેવા લાગ્યો કે હે ભદ્ર! પ્રિયે ! તમે કાંઈ ચિંતા કરશો નહીં, મનને વિષે સમાધિ રાખીને રહેજો. એવો પોતાના પતિનો શબ્દ સાંભલીને તે સ્ત્રીઓએ ઓરડાનું બારણું ઉઘાડ્યું, અને પોતાના સ્વામીને નમસ્કાર કર્યો. કુમરે તેમને કહ્યું કે હું જ્યાં સુધી વેશ્યાને શિક્ષા કરું, ત્યાં સુધી તમારે ઈહાં રહેવું. એમ કહી ફરીથી ઓરડાનાં બારણાં બંધ કરાવી કુટણી પાસે આવીને કહેવા લાગ્યો કે એ સ્ત્રીના દુઃખને મેં સારી પેઠે જાણ્યું, માટે હવે મારે તમારા ઘરને વિષે રહીને એનો ઉપચાર કરવો. ૧૮૬ શ્રી પર્યુષણા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy