SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નગરને વિષે શિવદેવ રાજા તે પરમ ઉત્કૃષ્ટો અરિહંતભક્ત છે. તે પ્રજાને યોગ્ય ન્યાય નીતિએ પાલતો રાજ્ય કરે છે. તે નગરમાં ધનદ, કામદેવ, ધનંજય અને વિજય એવે નામે ચાર વ્યવહારીઆ વસે છે. તેને માંહોમાંહે મિત્રભાવ છે, તેમની પાસે અગણિત ધન છે, માટે તે ચારે ધનાઢ્ય કહેવાય છે, અને તે ચારે ઉત્કૃષ્ટ અરિહંતભક્ત છે. તેમના ઉપર રાજાનું પણ ઘણું માન છે. તે ચાર વ્યવહારીઆની લલિતા, સુલલિતા, સુલોચના અને પ્રગુણા, એવે ચાર નામે અમે ચાર પુત્રીઓ છીએ. અમારે પણ માંહોમાંહે સ્નેહ છે. અમે ચારે શ્રીવીતરાગની ભક્તિવંત છીએ, અને વિનયાદિ ગુણે કરી સહિત છીએ. એકદા શ્રીસમેતશિખરનો મહિમા ગુરુના મુખથી સાંભલીને યાત્રાને અર્થે ચતુર્વિધ શ્રીસંઘને એકઠો કરી અમારા પિતાદિક પરિવાર સહિત શ્રીસમેતશિખર ગિરિરાજે આવીને મોટા મહોત્સવ સહિત વિશે ટૂંકે ઘણી ભક્તિ કરી જિનેશ્વરને પૂજી સ્વામીવાત્સલ્ય કરી દીન દુઃખીયાનો ઉદ્ધાર કરી તિહાંથી પાછા વલ્યા, તે છ મહીના પંથે વહેતાં થયા, તિહાં માર્ગમાં કોઈ મહાવનને વિષે શ્રીસંઘે ઉતારો કર્યો. રાત્રિએ તંબુમાં અમે ચારે બાલિકાઓ એકાંતે નિદ્રાવશ થઈ. તિહાંથી એ ચાર પૂર્ણ પુરુષોએ અમોને અપહરીને આ જટિલની આગલ આણી રાખી. એવામાં અમારા ભાગ્યના ઉદય થકી તમે ઈહાં આવીને અમને અભયદાન દઈને જેમ પોતાની કરી, તેમજ તમે અમો ચારે જણીનું પાણિગ્રહણ કરીને અમને સનાથ કરો. એવાં બાલિકાઓનાં વચન અંગીકાર કરીને કુમરે તેમનું પાણિગ્રહણ કર્યું. પછી સોનાના નરને અગ્નિનાં કુંડમાંથી કાઢીને વલી તે ચારે સ્ત્રીઓને પોતાની સાથે લઈ તે વન પ્રત્યે ઉલ્લંઘીને હરિપુર ભણી ચાલ્યા. ગ્રામાનુગ્રામ પ્રત્યે ચાલતે છતે માર્ગમાં ગંભીરપુર પાટણના ઉદ્યાનને વિષે ઘોડી તથા કન્યાઓને મૂકીને કુમારે પોતે સથવારો જોવાને માટે નગરમાં પ્રવેશ કર્યો. તિહાં સથવારાની પૂછા કરે છે, અને નગરને જૂએ છે. એટલામાં નગરના મધ્ય થકી કોઈક તેજ નગરની વેશ્યા તે વનમાં ખેલવાને અર્થે આવી. તે કન્યા અને ઘોડાને સુવર્ણપુરુષે યુક્ત દેખીને લોભે કરી આંધલી થઈ થકી કૂડી માયા કરી કન્યાઓ પાસે આવી કહેવા લાગી કે હે મારા ભાઈની સ્ત્રીઓ ! મારા ઘરને વિષે મારા બાંધવે આવીને મને શ્રી પર્યુષણા ૧૮૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy