SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે એણે કીધો છે ? વલી યવ પ્રમુખ બલિબાકુલ એકઠા કરવા છે, તેનું શું કારણ હશે ? વલી ઈહાં મૃતક પુરુષનું શબ પડ્યું છે, તેને રતાંજલીનું વિલેપન કરીને કણેરનાં ફૂલે કરી તેની પૂજા કરી છે, વલી મદિરાનો ઘડો ભરચો છે, તેનું શું કારણ હશે ? તેમજ ખીર અને પૂડલાદિક નૈવેદ્યની સર્વ સામગ્રી છે. વલી એ ચાર પુરુષ પણ છે એ સર્વનું કારણ શું હશે ? એવી રીતે કુમર મનમાં વિચાર કરે છે, એવામાં એક યોગી જટિલ ઉઠીને કુમર પાસે આવી કહેતો હતો કે ધન્ય છે મુજને કે આજ મારો દિવસ સફલ થયો, જે માટે મારી આશા પૂર્ણ થઈ. હે કુમર ! એ ચાર કન્યાઓને તમે પરણો. અને તમને પરણવાની અભિલાષા છે, માટે એનું પાણિગ્રહણ કરીને મારા ઘરજમાઈ થઈને ઈહાં મારી પાસે સુખે સમાધે રહો, પણ હમણાં મારે વિદ્યા સાધવી છે, તેના ઉત્તરસાધક તમે થાઓ. એવું સાંભલીને કુમરે દાક્ષિણ્યપણા માટે તે યોગીનું વચન અંગીકાર કરવું. હવે યોગીએ અગ્નિના કુંડની ચારે દિશાએ ચાર ધૂતારા પુરુષને હાથમાં હથિયાર આપીને ઉભા રાખ્યા તથા ચાર વિદિશિને વિષે ચાર બાલિકાઓને ઉભી રાખી, અને પોતે ચારે દિશિએ દૃષ્ટિ રાખીને જપ જપતાં હોમ કરવા માંડ્યો, જાપ પૂર્ણ થયા પછી બલિદાન દેવા માંડ્યું. તે વારે મધુ ધૃતાદિકનો હોમ કરતો દેખીને કુમરે મનમાં વિચારવું જે આ કાંઈ ઉત્તમ કાર્ય નથી. જે માટે કહ્યું છે કે ઃ દુર્જનાનાં ભુજંગાના-મંગનાનાં ચ ભૂભુજામ્ ॥ સત્કૃતાનામપિ પ્રાયો, વિશ્રઘ્ધë ન સર્વદા ॥ ૧ ઈતિ ।। પણ મારી પાસે વિદ્યાધરે દીધેલી એક આકાશગામિની અને બીજી અદૃશ્યઅંજન એ બે વિદ્યાઓ છે તેનો મહિમા જોઉં. એવું મનમાં ચિંતવી નેત્રને વિષે અંજન આંજીને યોગી પાસે જઈ ઉભો ખરો, પણ અંજનના પ્રભાવ થકી જટિલ તે કુમર પ્રત્યે ન દેખતો હતો. હવે જે વારે તે યોગીના જપ, હોમની પૂર્ણાહુતિ થઈ, તે વારે કુમરે ટિલને બાંધીને અગ્નિના કુંડને વિષે નાખી દીધો. તે યોગીને અગ્નિના કુંડને વિષે પડતો દેખીને તિહાંથી ચાર ધૂર્ત પુરુષ નાસી ગયા. મરણના ભયને લીધે તિહાં રહેવાને સમર્થ ન થયા. હવે તે જટિલ અગ્નિકુંડમાં બલતો સુવર્ણપુરુષ થયો. પછી કુમર તે ચારે બાલિકાઓને તેમનાં ઠામ ઠેકાણાદિક સર્વ પૂછતો હતો. તે વારે તે કન્યાઓ બોલી કે હે નરદેવ ! તમે અમારું ચરિત્ર સાંભલો. હિરપુર શ્રી પર્યુષણા www.jainelibrary.org ૧૮૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy