SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વલી પણ હું એ બહુ સ્ત્રીનાં ચરિત્ર પ્રત્યે તો જોઉં ! એમ મનમાં આણીને છાનો રહ્યો. સ્ત્રીઓએ કામલલિત ચેષ્ટાનાં વચને કરીને કુમરને ચલાવવા માંડ્યો, પણ કુમર કામસેવા પ્રત્યે ન ઈચ્છતો હતો, તેથી ચલ્યો નહીં, તે વારે બેહુ સ્ત્રીઓ કડવાં વચને કરીને કહેતી હતી કે હે પુરુષ ! અમે બહુ જણીએ અનેક પ્રકારે તમને કામની વિનંતિ કરી, પણ તમે અમારું વચન અંગીકાર ન કર્યું, તો હવે તમારા પ્રાણને સંદેહ થશે. એવું કહે છતે કુમાર કહેતો હતો કે હે માતાઓ ! હું પુરુષાર્થ રહિત છું, દગ્ધબીજ છું, માટે સ્ત્રીસેવા શી રીતે કરું ? એવું કુમારનું વચન સાંભળીને બહુ વિદ્યાધરીઓ કામ રહિત થઈ થકી મનમાં વિચારવા લાગી જે આપણ બેહનું વચન એણે ન માન્યું, તો એને કષ્ટમાં આપણે પાડશું. એવું ધારીને કોલાહલ શબ્દને કરતી થકી કહેવા લાગી કે ભો ભો લોકો ! આ ચોર અમારા ઘરને વિષે બેઠો છે, તેને પકડો. એવે મોટા સ્વરે પોકાર કરતી સાંભળીને ગામનો રક્ષક જે કોટવાલ તે પોતાના સેવકો સહિત દોડીને શબ્દને અનુસાર તિહાં વિદ્યાધરના ઘરને વિષે પ્રવેશ કરી કુમરને મજબૂત બંધને બાંધી વધ કરવાને સ્થાનકે લઈ ચાલ્યો. તે વારે પોતાની સ્ત્રીઓનું ચરિત્ર જેણે દીઠું છે એવા તે વિદ્યાધરે કુમરને નિર્વિષયી જાણીને તેને તેડવા માટે પોતાના સેવકો મોકલ્યા. તે સેવકો જઈને કુમારને તથા કોટવાલને તેડી લાવ્યા. તે વારે વિદ્યાધર બોલ્યો કે હે દુર્ગપાલ! એ પુરુષ છે, મહાન પુરુષ છે, સ્ત્રીઓનું ચરિત્ર મેં દીઠું છે, એ કુમર નિર્વિષયી છે. એમ કહેતો કુમર પ્રત્યે નમસ્કાર કરીને પોતાની પાસે બેસાડતો હતો. એટલે કોટવાલાદિક નગરના લોક સર્વ કુમરની સ્તુતિ કરી પોતપોતાને ઘેર ગયા. હવે એવા અવસરને વિષે વૈતાઢ્યગિરિનો સ્વામી શ્રીધર એવે નામે રાજા વિદ્યાધરોનો ઈદ્ર છે તેણે એ સર્વ વૃત્તાંત સેવકના મુખથી સાંભલ્યો. તે કુમરનો મહિમા જાણીને કુમારને તેડાવી સ્ત્રીઓનું ચરિત્ર પૂછવા લાગ્યો. તે વારે કુમર કહેતો હતો કે હે ખેચરેંદ્ર ! કરેલાં કર્મને ભોગવ્યા વિના ક્ષય ન થાય, જીવને કર્મની ગતિ વિષમ છે, મોહવિલસિત જે કર્મ, તે કર્મના દોષ થકી મહાન્ પુરુષ પણ મુંઝાય છે, તેથી તે પુરુષ પણ અનાર્ય કાર્ય કરતાં શંકા પામતા નથી, તો અન્ય જનોની તો શીજ કથા કરવી ? માટે એ સર્વ મારાં કર્મનું રચેલું જાણવું, પણ ઈહાં બીજા કોઈનો દોષ નથી. શ્રી પર્યુષણા ૧૭૭ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy