SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ દીઠો નહીં. પછી તે વનમાં ઘણે ઠેકાણે કુમારને શોધ્યો, પરંતુ ક્યાંહી પણ દિઠો નહીં. તે વારે ચારે સ્ત્રીઓ હૃદયને વિષે વૈર્ય ધરીને ઘોડા ઉપર ચઢી કુમરનો ઘોડો સાથે લઈ અટવી ઉલ્લંઘન કરી દશરથપુરને વિષે ગઇ. તે નગરમાં ધર્મ અને નીતિથી રહિત એવો સંજ્ઞક નામે અન્યાયી રાજા રાજ્ય કરે છે. તે રાજા પરસ્ત્રીના અભિલાષરૂપ વ્યસનમાં રક્ત છે, પાપબુદ્ધિ છે; તેના મનના પરિણામ ઘણા દુષ્ટ છે, એવાજ અશુભ અધ્યવસાયને ધ્યાવતો થકો ગોખને વિષે બેઠો થકો નગરને પ્રત્યે જૂએ છે, એવામાં ચૌટાને વિષે દેવાંગના સરખી ચારે સ્ત્રીઓને ઘોડા સહિત દેખી, તેમનાં રૂપ જોઈ વ્યામોહને પામ્યો. પછી તે સ્ત્રીઓને પોતાને વશ કરવા ઇચ્છતા એવા તે દુષ્ટ રાજાએ પોતાના સેવકો મોકલી તે ચારે સ્ત્રીઓને તેડાવીને અંતરિને વિષે રાખી. તે વારે મંત્રીશ્વર મહામંત્રીશ્વરાદિક શ્રેષ્ઠ પુરુષો તથા નગરવાસી ઉત્તમ જનએ સર્વેએ મલીને રાજાને ઘણે પ્રકારો વાક્યો, તોપણ અત્યંત કામવશ હોવાથી તેણે કોઈનું પણ કહ્યું માન્યું નહીં. એવા અવસરે ચારે સ્ત્રીઓ શીયલરુપ પોતાના ધર્મની રક્ષા કરવાને અર્થે પંચપરમેષ્ઠીનું ધ્યાન કરી શાસનદેવીનું સ્મરણ કરતી હતી. તે વારે તે કુમારીનાં પુણ્ય અને ઇષ્ટ શીયલના પ્રભાવ થકી તિહાં શાસનદેવી પ્રત્યક્ષ થઈને ચારે સ્ત્રીઓ પ્રત્યે કહેતી હતી કે હે વત્સ! હે પુત્રીઓ ! તમે વિષાદ મ કરો. તમારા સ્વામીને ક્ષેમ કલ્યાણ છે, તેને વિદ્યાધરીએ અપહસ્યો છે, તે હમણાં વૈતાઢ્ય પર્વતે રત્નચૂડ નગરને વિષે છે, અને આજથી ત્રીશમે દિવસે પ્રબલ સૈન્ય રાજ્યલમીએ યુક્ત તમારી સારસંભાલ કરવાને અર્થે ઈહાં આવશે. એમ કહી તે ચારે સ્ત્રીઓનાં કંઠને વિષે પ્રાભાવિક હાર નાખીને શાસનદેવી પોતાને સ્થાનકે ગઈ. ચારે સ્ત્રીઓ પણ આપણો પતિ ત્રીશ દિવસે મલશે એમ ધારી તથા શીયલયત્નને માટે હારની પ્રાપ્તિ થવે કરીને સંતોષ પામી હર્ષવંત થઈ તે હાર પોતપોતાના કંઠમાં પહેરી ધર્મધ્યાનને અવલંબીને રહેતી હતી. એવા અવસરમાં તે અન્યાયી રાજા પરસ્ત્રી સેવનરુપ દુર્બુદ્ધિએ રહ્યો થકો કામાર્થે તિહાં આવીને મીઠાં, સરાગ અને લલિત એવાં કામક્રીડાનાં વચનોને બોલતો બોલતો એવામાં તે સ્ત્રીઓ પાસે આવ્યો, તેવામાં હારના પ્રભાવથી આંધલો થતો હતો, તે વારે ત્યાંથી પાછો વલી ક્ષણેક રહીને પાછો તિહાં સ્ત્રીઓ પાસે શ્રી પર્યુષણા ૧૭૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy