SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ જો સમર્થ હો તો તમને છાના રાખીએ. કુમરે કહ્યું કે હે કન્યાઓ! રાક્ષસનો ભય મારી આગલ રહેવા પામેજ નહીં, કેમકે મારી પાસે સિદ્ધ વિદ્યા છે, તેના મહિમાથી હું નિર્ભય છું, તોપણ પ્રચ્છન્ન ઘરને વિષે હું રહીશ, અને જે વારે રાક્ષસ ઇહાં આવે, તે વારે તમે સ્નાન મજ્જનના જે ઉદ્યમ, પ્રપંચ, તેણે કરી તેનાં લોચનને ખેલે કરી તથા સ્નેહે કરી લિપ્ત કરજો, તે વારે હું રાક્ષસનો જય કરીશ. તેમણે તેમ કબૂલ કરી પ્રચ્છન્નપણે ઓરડાને વિષે કુમરને રાખ્યો, એવામાં રાક્ષસ આવ્યો. તે વારે હસતાં છે મુખ જેનાં એવી ચારે કન્યાઓ પોતાનું ચરિત્ર દેખાડતી સ્નાન અર્થે રાક્ષસને બેસાડતી હતી. પછી ખેલે કરીને તેનાં નેત્ર ભરવાં. તિહાં પ્રથમના સંકેતથી તેજ સમયને વિષે અવસર પામી કુમાર પણ પાછલથી આવી મયુરબંધે કરી રાક્ષસને બાંધી તેની પુંઠ ઉપર ચઢી બેઠો, તે વારે રાક્ષસ બોલ્યા કે હે ધીર પુરુષ ! મૂક, મૂક. તારું સાહસ, ધૈર્ય જોઇને હું સંતુષ્ટ થયો છું. માટે તું જે વર માગ તે હું આપું. તે વારે કુમર બોલ્યો કે જો તું એ નગર મૂકીને વનને વિષે રહે, તો તુને હાલ મૂકી દઉં, નહીં તો હું મૂકીશ નહીં. પછી રાક્ષસ પણ કુમરનું વચન અંગીકાર કરીને વનને વિષે નાસી ગયો. કુમરે પણ ચાર કન્યાનું પાણિગ્રહણ કરી દેવરથ અને દાનવ એ બે પોતાના સાલાને શ્રીપુરનગર થકી તેડાવીને તે રાજ્યને વિષે સ્થાપ્યા. તથા નગરના લોકોને તેડાવીને પ્રથમની પેઠે નગરમાં વાસ્યા. સસરાના કુલને વિષે કુમર પણ કેટલાએક દિવસ રહ્યો. પછી ઉત્તમ પુરુષ સસરાના પક્ષમાં ઘણું ન રહેવું, એવું એકદા મનમાં ધારીને દેવરથ રાજાની આજ્ઞા લઇ પોતાની ચાર સ્ત્રીઓ તથા પાંચમો પોતે, એમ પાંચે જણ મલી પાંચ ઘોડાની ઉપર અસવાર થઇ આનંદપુર થકી ચાલ્યાં. એકદા માર્ગને વિષે બાર યોજનની અટવી આવી, તેમાં તે પેઠાં. તિહાં ચાલતાં સંધ્યાસમયે એક વૃક્ષની નીચે રાત્રિને વિષે સુખઆશ્રમ કરીને રહ્યાં. તે સ્થાનકે ચાર સ્ત્રીઓ સૂતી, અને કુમર તો હાથમાં ખડ્ગ લઇને જાગતો રહ્યો. એવા અવસરમાં બે વિદ્યાધરીઓ વિમાનમાં બેસી આકાશમાર્ગે જતી હતી. જતાં જતાં તેમણે કુમરને દીઠો. પછી તેના રૂપ ઉપર વ્યામોહ પામી થકી વિષયના અભિલાષે કરી કુમરને અવસ્વાપિની નિદ્રા દેઇ અપહરીને વૈતાઢ્ય પર્વતને વિષે લઇ ગઇ. હવે પાછલ તિહાં અટવીમાં ચારે સ્ત્રીઓ જાગી, તે વારે તેણે પોતાના સ્વામીને શ્રી પર્યુષણા ૧૭૪ www.jainelibrary.org Jain Education International 2010_03 For Private & Personal Use Only
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy