SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કુમર પણ મોર ઉપર બેસીને વનને વિષે નવા નવા પુરને વિષે વિવિધ પ્રકારની ક્રિીડા કરતો સુખે રહે છે. એવામાં એક સમયે રાત્રિને વિષે શવ્યાએ ધવલ ઘરમાં કુમાર સૂતો છે. તિહાં મધ્યરાત્રિએ રુદન કરતી એક સ્ત્રીનો શબ્દ સાંભલી મનમાં વિચારતો હતો કે જો એ સ્ત્રીનું દુઃખ ન માંગું તો એ મારું પરાક્રમ સર્વ નિરર્થક છે. એવું મનમાં ધારી કુમાર સન્નદ્ધબદ્ધ થઈ હાથમાં તરવાર લઈ તે શબ્દને અનુસાર નગર થકી બહાર સ્મશાનને વિષે ગયો. તિહાં એક સ્ત્રીને રુદન કરતી દેખીને જગસિંહકુમાર પૂછતો હતો કે હે ભદ્ર ! કયા દુઃખે કરી તમે આમ વિલાપ કરતાં છતાં રુદન કરો છો. માટે જે કાંઈ તમારા દુઃખનું કારણ હોય તે મુજને કહો કે જેમ હું તમારું દુઃખ નિવારણ કરું. તે વારે તે સ્ત્રી બોલી કે વીર પુરુષ! હે સત્ત્વના ઈશ ! તું સાંભલ. મારો ભરતાર શૈલી ઉપર છે, તે ઘણો ભૂખ્યો છે; પણ ભૂલી ઘણી ઉંચી છે, તે થકી હું તેને આહાર દેવાને અસમર્થ થઈ છું, એ દુઃખે કરી રુદન કરું છું. તે વારે કુમર બોલ્યો કે હે ભદ્ર! મારા સ્કંધ ઉપર ચઢીને તારા પતિને ભોજન કરી સંતુષ્ટ કર. એવું કુમારનું વચન સાંભલીને સ્ત્રીએ પણ તેમજ કરવું. કુમરના સ્કંધ ઉપર બેઠી, તિહાં ભૂલીને અગ્રભાગે રહ્યું જે શબ તેના ખંડ ખંડ કરીને ભક્ષણ કરતી હતી. વલી મૂખે કરી કલકલ શબ્દ અને બચબચ શબ્દ કરતી પોકાર કરે છે. તે વારે કુમરે તે ચરિત્ર જોઈને વ્યંતરીનું સ્વરૂપ જાણી મનને વિષે ધર્મ ધરી વ્યંતરીના પગને હાથમાં ગ્રહીને ભૂમિને વિષે પછાડી. પછી વલી ખગે કરીને તે વ્યંતરીનું નાક છેદન કર્યું. તે વારે વ્યંતરી પણ તરત નાઠી. તે વ્યંતરીદેવીનું નાક છેદના થકી ઘણા ક્રોધે કરી આકુલ થઇને તે વ્યંતરી મનમાં વિચારતી હતી કે અહો! એ કુમારે મારું નાક છેદીને મુને નાક થકી રહિત કરી તો હું પણ એ કુમારને દુઃખને વિષે પાડું. એવું મનમાં ધારીને તે વ્યંતરી કુમારનું રૂપ કરી નગરમાં જઈ રાજાના દરબારમાં પેઠી. પછી અંતેઉરમાં જઈને રાણી સાથે વિષય સંબંધી કામક્રીડા પ્રત્યે કરતી હતી. રાત્રિને અંતે રાજા જાગતે થકે અંતરમાં રાણી સાથે કુમારને વિષયક્રીડા કરતો દેખીને રાજા ક્રોધ સહિત થઈ હાથમાં ખડ્ઝ ગ્રહણ કરીને કુમાર પ્રત્યે હણવાને અર્થે દાડતો હતો. તે વ્યંતરદેવી પણ તેવાજ કુમારના રૂપે કરી તિહાંથી નાસી ગઇ. રાજા પણ તે વ્યંતરીદેવીએ જે છેલભેદ કશ્યો, તેને ન જાણતો એવો થકો કુમારની ઉપર ક્રોધ કરીને મંત્રીશ્વરને તેડાવી કુમારનું શ્રી પર્યુષણા ૧૭૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy