SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ રાણી અનુક્રમે સવા નવ માસ પૂર્ણ થયે શુભ મુહૂર્તો શુભ લગ્ને પુત્રરત્ન પ્રત્યે પ્રસવતી હતી. રાજાએ પણ પુત્ર જન્મમહોત્સવ વિસ્તારપણે કરીને સ્વપ્રના અભિપ્રાય મુજબ યથાર્થ ગુણ સહિત ગજસિંહકુમાર એવું નામ દીધું. પછી પાંચ ધાવમાતાએ લાલતો પાલતો શુક્લપક્ષના ચંદ્રમાની કલાની પરે વધતો વધતો તે કુમર આઠ વર્ષનો થયો. તે વારે પિતાએ અધ્યાપક ગુરુ પાસે ભણવા બેસાડ્યો. કુમર પણ થોડા કાલમાં બહોતેર કલાને વિષે કુશલ થયો. શસ્ત્ર અને શાસ્ત્રની કલાનો જાણ, તથા ધર્મ, અર્થ અને કામ, એ ત્રણે વર્ગનો જાણ થયો. તે જે વારે યૌવન સન્મુખ થયો, તે વારે રૂપે કરી કંદર્પ સરખો અને કામકલાને વિષે કોક સરખો, બલકલાને વિષે ભીમ સરખો, બાણકલાને વિષે અર્જુન સરખો, વિદ્યાને વિષે વિદ્યાધર સરખો, યુદ્ધને વિષે વસુદેવ સરખો, દાનને વિષે કર્ણ સરખો, પ્રતાપને વિષે સૂર્ય સરખો એવો થયો થકો સુખે કરી કુમરપદ ભોગવતો હતો. એવા અવસરે કલામાં કુશલ એવો કોઇક સુતાર વિદેશ થકી રાજાની સભામાં આવીને એક મનોહર અનુપમ કાષ્ઠમય મોર લાવીને રાજાની આગલ ભેટલું મૂકતો હતો. તે મોરને દેખી રાજા આનંદ પામીને કહેતો હતો કે જો એ મોર સજીવન હોય તો ઘણુંજ શ્રેષ્ઠ ! એવું રાજાનું વચન સાંભલી સુતાર બોલ્યો કે હે રાજન્! ધારાપુર નગરમાં એક બ્રાહ્મણ છે, તે સંવિની અને ગગનગામિની એવી બે વિદ્યામાં સિદ્ધ વર્ષે એવો છે. તે સાંભલી રાજાએ દૂત મોકલી વિપ્રને તેડાવ્યો, દૂતની સાથે વિપ્ર અવંતી નગરીએ આવ્યો, તે વારે રાજા તેને બહુમાન આપીને કહેતો હતો કે હે દ્વિજરાજ ! હે વિદ્યાશાલિન્ ! આ કાષ્ઠના મોરને સજીવન કરો. એવું રાજાએ કહે છતે દ્વિજરાજે હાકારો કરચો, અને મોટા આડંબરે કરી એક યંત્ર લખીને તે કાષ્ઠના મોરના કંઠને વિષે બાંધ્યો. ત્યાં યંત્રને પ્રભાવે કરીને તે મોર આકાશચારી થતો હતો. વલી તે મોર સર્પની સાથે યુદ્ધ કરવા લાગ્યો. જે વારે કંઠ થકી યંત્ર છોડી નાખે, તે વારે કાષ્ઠની પેઠે સ્થિર થઇ જાય. એવો દ્વિજે યંત્ર કરી દીધો, તે વારે રાજાએ પણ તે વિપ્રમાં વિદ્યાતત્ત્વ જાણીને દ્રવ્ય આપી ઘણે દાને કરી સન્માનીને રજા દીધી, અને કાષ્ઠનો મોર ગજસિંહકુમારને ક્રીડા કરવાને અર્થે રાજાએ દીધો. ૧૭૦ Jain Education International2010_03 For Private & Personal Use Only શ્રી પર્યુષણા www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy