SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ તથા જે એ પર્વને સમ્યક પ્રકારે આરાધે તે જેમ ચંદ્ર કરી રાત્રિ શોભે, સૂર્ય કરી જેમ આકાશ શોભે, પ્રતિમાએ કરી જેમ દેરું શોભે, કુલવધુ જેમ શીવલે. શોભે, જોવું જેમ ગીત ગાને કરી શોભે, આચાર્ય જેમ જ્ઞાને કરી શોભે, તેમ પજોસણપર્વના આરાધવે કરીને શ્રાવકનું કુલ અને મુનિનું કુલ શોભે. એવું એ શ્રીનશાસન માંહે પ્રાભાવિક પર્વ છે. એ પ્રથમ વિધિ કહ્યો. એવા વિધિએ કરીને જે ભવ્ય પ્રાણી મોટા પજોસણપર્વને ત્રિકરણ શુદ્ધ કરી આરાધે છે, તે પ્રાણી ઈહલોકને વિષે રુદ્ધિ, વૃદ્ધિ, સુખ, સૌભાગ્ય, બાહ્ય સંપદા, અત્યંતર સંપદા નિશ્ચથી પામે. એ પામ્યાનો સાર જાણવો, અને પરલોકે તો ઈંદ્રપણું પામે, અનુક્રમે વલી તીર્થંકરપદને ભોગવી મુક્તિવધૂ પ્રત્યે પામે. એવું પર્વનું માહાભ્ય સાંભલીને ફરી શ્રેણિક રાજા પૂછતા હતા કે હે જિનેંદ્ર ! પૂર્વે એ પોણપર્વ કોણે સમ્યક્ પ્રકારે આરાધ્યું છે ? અને તે થકી તે કેવાં ફલ પામ્યો? તે મુજ પ્રત્યે કહો. તે વારે શ્રીવર્ધ્વમાનસ્વામી કહે છે કે હે નરેંદ્ર ! એ વિષે ગજસિંહ રાજાનો સંબંધ જેમ સૂત્ર માંહે કહ્યો છે, તે પ્રમાણે કહું છું તે સાંભલ. શુભ મતિએ કરી વિધિ સહિત પજોસણપર્વના આરાધવાથી અતિ મોટું ફલ પ્રાપ્ત થયું. જે ફલે કરીને ગજસિંહ રાજા તીર્થંકરપદવી પામ્યો છે, તે કહે છે. આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રના દક્ષિણ ભાગે મધ્ય ખંડને વિષે અયવંતી નામે દેશમાં અયવંતી નગરી ઇદ્રપુરીની પેરે શોભે છે. તિહાં જયસિંહ નામ રાજા રાજ્ય કરે છે. તે રાજા નીતિશાસ્ત્રનો જાણ માટે ન્યાયે કરી પ્રજા પ્રત્યે પાલતો વિચરે છે. તેને એક લક્ષ્મી જેવી કમલા એ નામે પટ્ટરાણી છે. તે રાણી શીલરૂપ લાવણ્યાદિક ગુણોપેત થકી સીતા જેવી શોભે છે. તે રાજાનો સર્વગુણની સમૃદ્ધિએ સહિત ઉત્કૃષ્ટો અરિહંત ધર્મનો પોલનાર એવો સુમતિ નામે પ્રધાન છે, તે મંત્રીશ્વર સ્વામીના કાર્યને વિષે રક્ત છે. એક સમયે રાણીએ રાત્રિને વિષે સુખ નિદ્રાએ સૂતે થકે ઉજ્જવલ ઐરાવત હાથી તથા કેસરીસિંહ, એ બે સ્વપ્નમાં પોતાના મુખમાં પ્રવેશ થતા દીઠા. તે જાગ્યા પછી સ્વપ્નની વાત રાજા આગલ કહી, તે વારે રાજા બોલ્યો કે હે પ્રિયે! તમારે રાજ્ય ધુરંધર ગુણવંત એવો પુત્ર થશે. એવું રાજાના મુખથી સ્વપ્નાનું ફલ સાંભલીને રાણી રાજી થઈ થકી ગર્ભની પ્રતિપાલના કરતી રહી. તે શ્રી પર્યુષણા ૧૬૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy