SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પર્યુષણાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય તથા સાધારણદ્રવ્યની વૃદ્ધિ કરવાથી જે ફલ થાય, તે કહે છે : શ્રીજિનશાસનની વૃદ્ધિનો કરનાર જે પ્રભાવિક હોય, તે જ્ઞાન તથા દર્શનના ગુણની તથા દ્રવ્યની વૃદ્ધિ કરે તેથી તે પ્રાણી તીર્થકરપદવીની ઉપાર્જના કરે, અને વલી જે પ્રાણી દેવદ્રવ્યની ઉપેક્ષણા એટલે ઉવખવું કરે, તથા ભક્ષણ કરે તથા કોઇ આપતો હોય તેને ન આપવા પ્રેરણા કરે, સંધન કરે, તે પ્રાણી બુદ્ધિહીન થાય. વલી ઘણાંક પાપકર્મે કરી લીપાય, પરભવે ધર્મ ન પામે, અથવા નરકનું આયુ બાંધે, વલી જે પુરુષ દેવદ્રવ્ય કરી ધનની વૃદ્ધિ પામે, તે ધન નિશ્ચ કુલનો નાશ કરે અને તે પુરુષ મરીને નરકગતિમાં જાય, માટે શ્રાવકજનને વ્યાપાર કરતા થકા દેવદ્રવ્યાદિકની યતા કરવી. ઇત્યાદિ વિધિ પ્રથમ સંક્ષેપે કહ્યો હતો, તે ફરી વિસ્તારે પણ કહ્યો, વલી બીજો પણ વિધિ જે સંપ્રદાય થકી ચાલતો આવતો હોય, તે સર્વ કરવો. એવી રીતે પોસણપર્વની કરણીનું ફલ પ્રભુના મુખથી સાંભલીને વલી શ્રેણિક રાજા પૂછતા હતા કે હે ભગવાન્ ! હે શ્રમણના ઇંદ્ર ! એ સર્વથી મોટો વાર્ષિક પજોસણપર્વનો મહિમા કેવો વર્તે છે? તે વારે ભગવાન કહે છે કે હે પૃથ્વીનાથ ! પજોસણપર્વનો મહિમા કહેવાને હું પણ અસમર્થ છું. જેમ કોઇ મેઘની ધારાની સંખ્યા કરી શકે નહીં, વલી આકાશ માંહેલા તારાની સંખ્યા કોઇ કરી શકે નહીં તથા ગંગા નદીના કાંઠાની રેતીના કણીયાની સંખ્યા કોઇ કરી શકે નહીં, જેમ સમુદ્ર માંહેલા પાણીનાં બિંદુની સંખ્યા કોઇ કરી શકે નહીં તથા માતાના સ્નેહની સંખ્યા કોઇ કરી શકે નહીં, તેમ વલી ગુરુના હિતોપદેશની સંખ્યા કરી શકે નહીં, તથાપિ કદાચિત્ કોઇ ધીર પુરુષ પૂર્વોક્ત સર્વ પદાર્થોની સંખ્યા કરી શકે, પરંતુ આ પજોસણપર્વના મહાભ્યની સંખ્યા કોઇથી કહેવાય નહીં. જે માટે સર્વ પર્વ માંહે અધિક મોટું એ પર્વ છે. જેમ ગુણમાંહે વિનયગુણ મોટો છે, વ્રત માંહે જેમ બ્રહ્મચર્ય વ્રત મોટું છે, નિયમ માંહે જેમ સંતોષ મોટો છે, તપને વિષે જેમ સમતા રાખવી, તે મોટી છે, સર્વ તત્વ માંહે જેમ સમકિત મોટું છે, તેમ સર્વ પર્વ માંહે ઉત્કૃષ્ટ પજોસણપર્વ મોટું છે, એમ સર્વશે કહ્યું છે. - વલી મંત્ર માંહે જેમ પંચ પરમેષ્ઠી મંત્ર મોટો છે, મહિમાવંત તીર્થમાંહે જેમ શત્રુંજય મોટો છે, દાન માંહે જેમ અભયદાન મોટું છે તથા રન માંહે જેમ ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ છે, રાજા માંહે જેમ ચક્રવર્તી શ્રેષ્ઠ છે, કેવલીમાં શ્રી પર્યુષણા ૧૬૭ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy