SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વિચઢ્યા. સર્વ મલી સાઠ લાખ પૂર્વ આયુ પૂર્ણ કરી ચૈત્ર શુક્લ પંચમીએ આદ્ર નક્ષત્રે ચંદ્રમા શુભ આવે થકે સમેતશિખર પર્વતની ઉપર નિર્વાણ પામ્યા. એ શ્રીસંભવનાથનું ચરિત્ર સાંભલીને શ્રીસંઘની પ્રભાવના કરવી. સ્વામિવાત્સલ્ય કરવું. ઇતિ પંચમ તથા ષષ્ટ દ્વાર ૫, ૬ | હવે અમારિની ઉઘોષણા કરવાના વિધિનું સાતમું દ્વાર કહે છે :પજોસણપર્વના દિવસો આવે થકે સર્વ જીવને અભયદાન દેવું તથા દેશને વિષે, નગરને વિષે, પુરને વિષે, નવ ના અને નવી કારુ મલી અઢારે વર્ણને વિષે આરંભ નિવર્તાવતો, અભયદાનનો પડહ વજડાવવો, જે સાવદ્ય આરંભના કરનાર હોય, તેને તે સાવદ્યથી નિવારવા, એમ જે અમારિ પલાવે, તેનું આયુ દીર્ઘતર થાય, શરીર પ્રધાન તથા શોભાયમાન થાય, ઊચ્ચ ગોત્રનો બંધ કરે, લક્ષ્મી સંપદા ઘણી વધે બલ પરાક્રમ વધે, સર્વમાં સ્વામીપણું તથા મોટાઈ પામે, નિરંતર આરોગ્યતા રહે, ત્રણ ભુવનમાં જિહાં જાય, તિહાં પૂજા પામે, મનોવાંછિત પામે, તેને સંસારરુપ સમુદ્રનો પાર ઉતારવો સુલભ થાય, એવાં ફલ પામે. એટલે સર્વ પ્રાણી માત્ર સુખને વિષે રક્ત રહે છે, અને દુઃખમાં ઉદ્વેગ પામે છે માટે સુખના અર્થી પ્રાણી છે તેને જે સુખ આપે, તે સુખને દેનારો જીવ , નિશ્ચ પોતે પણ સુખ પામે, માટે પર્યુષણપર્વ આવે કે અમારિની ઉદ્ઘોષણા કરે, તે ભવ્ય જીવા ત્રીજે ભવે મુક્તીપિણિ સ્ત્રીને વરે. તે ઈતિ સક્ષમ દ્વારા ૭ II - હવે પજો સણમાં અઠ્ઠમ તપ કરવાનું આઠમું દ્વાર કહે છે-પજોસણપર્વમાં અઠ્ઠમ તપ કરનારો પુરુષ ત્રણ રત્નની શોભાને પામે, અથવા માયાદિ ત્રણ શલ્યનું ઉમૂલન કરે, અથવા મન વચન અને કાયાનાં પાપને ધોઈ નાખવાનું કરે, તેના સર્વે જન્મ અથવા ત્રણ ભવ પવિત્ર થાય, અથવા તે પુરુષ ત્રણ વિશ્વની ઉપર જ મોક્ષપદ, તેને પામે છે. માટે જે શ્રાવક કલિયુગ માહે પોષણપર્વ આવે થકે ત્રણ ઉપવાસ કરે, તેને ધન્ય છે. જે મુનિ છમાસી અથવા વરસી પ્રમુખ મહા તીવ્ર તપને કોડી વર્ષ પર્ચત કરે. તે મુનિ તેણે કરીને ઘણા કાલનાં સંચેલાં પાપોની નિર્જરા કરે તેમ શ્રી પજોસણમાં અઢમાં તપ કરવાથી એટલા પાપોનો ક્ષય થાય. તેની ઉપર નાગકેતુની કથા કલ્પસૂત્રની વાચના થકી જાણવી. એ આઠમું દ્વાર કહ્યું | ૮ || હવે પજોસણ આવે થકે જ્ઞાનની પૂજા કરવાના વિધિનું નવમું દ્વાર કહે છે. પજોસણમાં પુસ્તકની આગલ કસ્તૂરી, કર્પરાદિ ચંદન, અગર, તેના ધૂપ કરવા, શ્રી પર્યુષણા ૧૬૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy