SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું. પછી પાંચ ધાવે પાલતાં મોટા થતાં સંભવકુમાર યૌવનાવસ્થા પામ્યા. સુવર્ણ વર્ષે ચારસે ધનુષ્યની જેની ઉંચી કાયા શોભતી છે, વલી જે રૂપનું નિધાન છે, તથા જાણે કૌતુકે કરી મેરુ પર્વતજ પુરુષરૂપ ધારણ કરી આવ્યો હોય નહીં! એવા કુમરને માતાપિતાએ ભોગ સમર્થ જાણીને રાજકન્યા પરણાવી. તેની સાથે વિવિધ પ્રકારનાં સાંસારિક સુખ ભોગવતાં પન્નર લાખ પૂર્વ વ્યતિક્રમાં, તે વારે જિતારિ રાજા સંસાર થકી ઉદ્વિગ્ન થયા. ઘણા આગ્રહ કરીને સંભવસ્વામી પ્રત્યે રાજપાટે સ્થાપતા હતા, તે સુવર્ણની અંગુલીએ રત્ન સ્થાપ્યું શોભે, તેમ શોભતા હતા. પછી જિતારિ રાજા પોતાના આત્માનો અર્થ સાધવા માટે ગુરુ પાસે જઈ તેમનાં ચરણકમલને નમીને હાથે દીક્ષા ગ્રહણ કરતા હતા. હવે ભગવાન ચુમ્માલીસ લાખ પૂર્વ પર્યત રાજ્ય કરતા થકા ભોગાવલિ કર્મ ક્ષય કર્યાં, તે વારે પોતે પણ ત્રણ જ્ઞાન સહિત છે, સ્વયંબુદ્ધ છે, તેથી મનમાં સંસારની સ્થિતિ અસાર છે, અનિત્ય છે, એમ ચિંતવવા લાગ્યા. તે અવસરે લોકાંતિક દેવતાની એ કરણી છે માટે તિહાં આવી પ્રભુને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે પ્રભો ! ધર્મરૂપ તીર્થ પ્રવર્તાવો. એમ કહી દેવતા સ્થાનકે ગયા. દીક્ષા લેવાનો અવસર જાણી ભગવાનનો ઉત્સાહ વધ્યો, તે વારે સંવત્સરી એટલે એક વર્ષ સુધી ભગવાને દાન દીધું. દાનને છેડે ચોસઠ ઈન્દ્રના આસન કંપ્યાં, તે વારે તે પોતાની ઈદ્રાણીઓ સહિત પ્રભુને ઘેર આવી અનુક્રમે દીક્ષામહોત્સવ કરતા હતા. પછી ભગવાન સિદ્ધાર્થ નામક શિબિકામાં બેસી નગરીના મધ્યમાંથી ચંપકવનમાં ગયા તિહાં એક હજાર રાજાની સાથે દીક્ષા લીધી. તે વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉપન્યું. શકેન્દ્ર તથા બીજા પણ અય્યતાદિક ઇદ્રો સર્વ ભગવાનને નમસ્કાર કરી પોતાને સ્થાનકે ગયા. પછી પૃથ્વીતલને વિષે વિચરતા બીજે દિવસે તેજ પુરને વિષે સુરેંદ્રદત્તને ઘેર ભગવાને પરમાન્ને કરી પારણું કર્યું. એવી રીતે ત્રણ ગુણિએ ગુપ્તા પાંચ સમિતિએ સમિતા એવા ભગવાને મૌનપણે, નિર્ભયપણે, સ્થિરભાવે, એક દૃષ્ટિએ ચૌદ વર્ષ લગણ વિહાર કર્યો. પછી સહસ્ત્રાવને સાલવૃક્ષની તલે પ્રભુ કેવલજ્ઞાન પામ્યા. તદનંતર ચતુર્વિધ સંઘની સ્થાપના કરી પોતાનું તીર્થ પ્રવર્તાવ્યું. પછી ભવ્ય જીવોનાં પાપનો નાશ કરવાને અર્થે ચૌદ વર્ષ ઉણા એક લાખ પૂર્વ વર્ષ લગણ કેવલ પર્યાય પાલતા ભગવાન ૧૬૪ શ્રી પર્યુષણા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy