SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મ ઉપાર્જન કરવું. એમ શ્રીસંભવચરિત્રમાં કહ્યું છે, જે માટે બેંતાલીસ દોષ રહિત કલ્પનીય શુદ્ધમાન ઉપન્યો જે આહાર, તેનું દાન પોતેજ મોટા મુનિઓને આપે છે. એવો શ્રીવિમલવાહન નામે રાજા મોટો નિર્મલ મનનો ધણી છે. એકદા સર્વ દેશમાં દુર્ભિક્ષ પડ્યો તે વારે રાજા પોતે સર્વ સંઘને અર્થ ભોજનાદિ કરાવીને જમાડતો હતો. એમ સર્વ સંઘનું વૈયાવચ્ચ કરવું, તેણે કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવું. પછી શ્રીસ્વયંપ્રભ નામે આચાર્ય પાસે દીક્ષા લીધી. તે રાજ્યલક્ષ્મીની પેરે દીક્ષા પારે છે. વલી જે અંતરંગ ષટ્ વૈરી છે તેના જયને અર્થે તે રાજર્ષિ સંયમરૂપ રથમાં બેસીને વિધિ સહિત સંયમ પાલતા થકા વિચરે છે, ઉપસર્ગ સહન કરવાથી ઉદ્વેગ પામતા નથી. પરિસહ સહેવાને હર્ષવંત મન છે જેનું એવા તે રાજર્ષિ, પોલીયો પોતાનો પહેરો પૂરો કરે, તેમ આયુષ્ય પૂર્ણ કરી છેડે વિધિ સહિત અનશન કરી મરણ પામી નવમા આનત નામે દેવલોકે પહોતા. દીક્ષા જે છે તે મોક્ષફલની દેવાવાલી છે. જો થોડી પાલી હોય, તો પણ સુખને આપે છે. તિહાંથી ચવીને જંબુદ્રીપના ભરતાદ્ધની ભૂષણરૂપ સાવચ્છી નગરીએ ઇશ્વાકુવંશમાં ઉત્તમ કુલરૂપ ક્ષીરોદધિ વધારવાને ચંદ્રમા સામાન શત્રુને જીતવાથી જેમનું જિતાર નામ સાર્થક છે તે રાજાની સેનાદેવી નામે પટ્ટરાણીની કુખને વિષે આવી ઉપન્યો. તે વારે ત્રણે લોકમાં ઉદ્યોત થયો. રાત્રિ શેષ રહે થકે રાણીએ પોતાના મુખકમલમાં પ્રવેશ થતાં ચૌદ સુપન દીઠાં. 2 પછી જાગીને હર્ષવંત થઇ થકી રાજા આગલ જઇ વાત કરી. રાજાએ કહ્યું ત્રણે લોકને વાંદવા યોગ્ય એવું નિશ્ચે તમારે પુત્રરત્ન થશે. પછી ગંગાના પાણીએ કરીને જેમ સમુદ્ર વૃદ્ધિ પામે, તેમ ગુપ્તપણે ગર્ભ વધવા માંડ્યો પણ કોઇને દીઠામાં ન આવે. સવા નવ માસ પૂર્ણ થયે માર્ગશિર શુદિ ચૌદસની રાત્રિએ મૃગશિર નક્ષત્રે ચંદ્રમાનો યોગ આવે થકે જરાયુ રોગાદિ રહિતપણે જેને સુંદર અશ્વનું લાંછન છે, તેમ પૂર્વ દિશિએ સૂર્ય ઉદય થયા એવા સોના સરખે શરીરને વર્ષે સર્વ સુખનું ભાજનરૂપ એવો પુત્ર, સેના રાણીએ સુખસમાયે પ્રસવ્યો. તેનો છપ્પન્ન દિક્કુમારિકા તથા ચોસઠ ઇન્દ્રો મહોત્સવ કરી પોતાને સ્થાનકે ગયા. પ્રભાતે જિતારિ રાજાએ પુત્રજન્મની વધામણી સાંભલી પુત્રજન્મ મહોત્સવ કરવો. જે સમયે ગર્ભને વિષે પુત્રપણે સંભવનાથ ઉપન્યા, તેજ સમયે દુર્ભિક્ષને વિષે ધાન્યનો સંભવ થયો માટે તેમનું સંભવનાથ એવું નામ સ્થાપન ૧૬૩ શ્રી પર્યુષણા Jai′′Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy