SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાને પગે કરી ફરસે છે, તે પ્રાણીના આંગણાને વિષે કલ્પવૃક્ષ નિરંતર ફલે છે, તથા તે પ્રાણીને હાથ વિષે ચિંતામણિ રત્ન રહેલું છે તથા ગ્લાધ્ય ગુણ યુક્ત અને પાપરહિત એવી છે કામદુધા ધેનુ તે તેના ઘરને વિષે અવતરેલી છે. વલી ત્રણ લોકના અધિપતિપણાના સાધનને સહાય કરનાર એવી લક્ષ્મી જે છે, તે તેના મુખની સામું જુવે છે. અર્થાત્ લક્ષ્મી પણ એમ ઈચ્છે છે જે એ પ્રાણી મને ક્યારે અંગીકાર કરે. માટે સર્વોત્તમ એવો જે શ્રીસંઘ, તેનું સેવન કરવું. વલી સર્વ પદાર્થમાં શ્રીસંઘ જે છે તે ઉત્તમ પદાર્થ છે. માટે જે તત્વના કહેનારા શ્રીઅરિહંતદેવ તે પણ શ્રીસંઘને ઉત્તમ કહે છે. તત્વાર્થના પ્રરુપક પંડિતજન તે શ્રીસંઘના દર્શન પ્રત્યે વાંછે છે. એટલે શ્રી અરિહંતના દર્શનનું ફલ અને શ્રીસંઘના દર્શનનું ફલ તે સરખેજ જાણવું. એમ શ્રીતીર્થકરે પોતે પ્રવચન માંહે ભાખ્યું છે. જેમ રત્નોના સ્વામીમાં રોહણાચલ ઉત્તમ છે તેમ સર્વ ગુણનો ઉત્તમ સ્વામી તે શ્રીસંઘ છે. વલી શ્રીમંત એવો શ્રમણ સંઘ જે છે, તે પૃથ્વીને વિષે ઉત્કૃષ્ટો આધારભૂત છે. જે શ્રીઅરિહંતા પણ પોતે કેવલજ્ઞાને કરી સહિત છે, તોપણ ઉચ્ચ સ્વરે કરીને તે સર્વ શ્રીસંઘને ભાવ ભક્તિપૂર્વક સાચવે છે. માટે શ્રીસંઘ જે વિશ્વ માંહે છે, તેને નમસ્કાર હો. વલી એક તરફ સર્વ તપ જપાદિક સંબંધી કરણીનું ફલ અને બીજી તરફ શ્રીસંઘની વત્સલતા કરવી તેનું ફલ, એ બે માંહે શ્રીસંઘના વાત્સલ્યનું ફલ મોટું છે. તથા એક તરફ સમસ્ત તીર્થ ફરસ્યાનું ફલ અધિક છે, તે થકી પણ જેણે કરી આત્મા સર્વ પ્રકારે શુદ્ધ થાય છે, એવો જે શ્રીસંઘ તેનું બહુમાન તથા ગૌરવ જે કરે છે, આદરે છે, તે પ્રાણીનું સમકિત નિર્મલ થયું કહેવાય. તેને અરિહંતપદ પ્રાપ્ત થાય છે, જે માટે ત્રીજા જે શ્રીસંભવજિન તીર્થકર તેના પ્રાકૃત ચરિત્રને વિષે કહ્યું છે કે શ્રીસંભવજિન પાછલા ત્રીજે ભવે પજોસણના દિવસોમાં શ્રીજિનવચને કરી દઢ ભક્તિરાગે શ્રીસંઘનું વાત્સલ્ય કર્યું, તેથી તીર્થકરની લક્ષ્મી પામ્યા. શ્રીસંભવજિન તીર્થનાથ થયા. - હવે તેની કથા કહે છે. શ્રીસંભવ જિનેશ્વર તે પાછલા ત્રીજા ભવને વિષે ધાતકી ખડે ઐવિત ક્ષેત્રે ક્ષમાપુરી નગરીએ વિમલવાહન નામે રાજા હતા. તિહાં એક વર્ષ મોટો દુર્મિક્ષ થયો. તે વર્ષમાં પજોસણપર્વ આવે થકે સઘલા સાધર્મિક શ્રાવકોને તેણે ભક્તિએ કરી ભોજનાદિકનું દાન દીધું, તેથી તીર્થકર શ્રી પર્યુષણા ૧૬ ૨ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy