SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિનેશ્વરના જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકને દિવસે ચારે નિકાયના દેવો તથા વિદ્યાધરો નંદીશ્વરાદિકને વિષે યાત્રા કરે છે અને મહોત્સવ કરે છે. તેમજ મનુષ્યો પણ પોતપોતાને સ્થાનકે કરે છે. હવે ઈહાં એ શ્રીજિનની પૂજાનું ફલ ગ્રંથકર્તા કહે છે કે જે હું, સાગરોપમાદિકનું મોટું આયુ પામું, તે મોટા આયુમાં પણ વલી આધિવ્યાધિએ રહિત થાઉં, રોગ રહિત થાઉં, પંડિતપણું સર્વ વસ્તુનું જાણપણું પ્રવીણતા, ચતુરાઈ ઈત્યાદિ શુભ પદને પામેલો હોઉં, તથા મારી એક જીભ છે, તે કોટિ જિલ્લા જેટલું કાર્ય કરી શકે એવી બોલવામાં પાટવ ગુણયુક્ત ચતુરાઈવાલી થઈ પૃથ્વીતલમાં સન્માન પામે, તોપણ સર્વ પર્વોમાં શ્રેષ્ઠ એવા પસણપર્વની પૂજાનું જે ફલ, તેનું પરિપૂર્ણ વર્ણન કરવાને સમર્થ ન થાઉં. એ પર્વ દિવસોને વિષે પૂજા કરવાનું ફલ જાણવું. એમ પોસાપર્વમાં દોષ રહિતપણે શ્રીજિનારાજની પૂજા કરે, તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે, આઠમે ભવે મોક્ષને પામે. તેનાં આકરાં પાપ હોય, તે દૂર જાય. રુડી બાદ્ધિની સંપદાના પદ પ્રત્યે પાયે, તેનો આત્મા ત્રણે ભુવનમાં યશ કીર્તિએ કરી દેદીપ્યમાન થાય. ઈતિ ચતુર્થ દ્વાર | ૪ || - હવે સંઘપ્રભાવનાનું સ્વામીવાત્સલ્ય કરવાના વિધિનું પાંચમું અને છઠ્ઠ દ્વાર કહે છે- સાધર્મિક વાત્સલ્ય તે એક શ્રીસંઘની પૂજા, બીજી પ્રભાવના અને ત્રીજું વાત્સલ્ય, એ ત્રણ પ્રકારે છે, તથા શ્રીજિનરાજની પૂજા પજોસણ આવે થકે કરવી. તે પૂજાનો અધિકાર તો પ્રથમ કહી આવ્યા છીએ. હવે સ્વામીવાત્સલ્ય તથા પ્રભાવના જે છે, તે પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદે છે. તિહાં પ્રત્યેક સાધમ દીઠ એકેક નકારવાલી આપે, તે જઘન્ય સ્વામીવાત્સલ્ય જાણવું, અને સાધમને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, એ ચાર પ્રકારના આહારે કરી જમાડે, તે મધ્યમ સ્વામીવાત્સલ્ય જાણવું, તથા જમાડીને પછી વસ્ત્રાભરણ પહેરામણી કરે, તે ઉત્કૃષ્ટ સ્વામીવાત્સલ્ય જાણવું. એમ સિદ્ધાંતમાં કહ્યું છે. માટે શક્તિને અનુસાર સાધમને નોતરી ભાવ સહિત ઉત્તમ ભોજન જમાડી અને તાંબુલ પ્રમુખ આપી વસ્ત્રાભરણની પહેરામણી કરવી. હવે તે શ્રીસંઘના વાત્સલ્યનું અને પ્રભાવનાનું ફલ શું થાય? તેનો મહિમા કહે છે - જેના ઘરના આંગણાને ગુણ યુક્ત એવો જે શ્રીસંઘ તે શ્રી પર્યુષણા ૧૬૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy