SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર છે તે રુડા રસાયન જેવું છે, તત્ત્વાર્થને દીપાવનારું છે; માટે તે વિધિએ કરી પર્યુષણકલ્પને સાંભલે. વલી અનાદિ કાલના કલિમલ એટલે પાપરુપ બંધનના નાશ કરવા માટેજ જેણે આદર કરો છે એવુંજ જાણે હોય નહીં ? એવું એ કલ્પસૂત્ર છે, અને વલી તે સર્વ ઈચ્છિત વસ્તુ પૂર્ણ કરવામાં સમર્થ, કલિકાલ માંહે કલ્પવૃક્ષ સદૃશ છે. જે મુનિ સમસ્ત પ્રકારે કલ્પસૂત્ર વાંચે છે, તથા જે ભવ્ય પ્રાણી બહુમાનપૂર્વક આદર સહિત સાંભલે છે, તે પ્રાણી વૈમાનિકદેવમાં વિહાર કરીને તિહાં સુખ ભોગવીને પછી મોક્ષરુપિણી સ્ત્રીના ઉત્સંગમાં જઈ વિસામો લીએ છે. સર્વ પર્વમાં પજોસણપર્વ મોટું છે. તે પર્વમાં જે કલ્પસૂત્રે સાવધાન થકો સાંભલે, તે પ્રાણી આઠ ભવ માંહે મોક્ષપદ પામે. નિરંતર શુદ્ધ સમકિતના સેવન થકી, બ્રહ્મચર્ય પાલવા થકી જે પુણ્ય ઉપાર્જન થાય, તે પુણ્ય કલ્પસૂત્ર સાંભલવાથી ઉપાર્જન થાય. નાનાવિધ દાન દેવાથી, વિવિધ પ્રકારનાં તપ કરવાથી, રુડાં તીર્થોનાં સેવન કરવાથી જે પાપનો ક્ષય થાય છે, તે પાપનો નિશ્ચે એકાગ્રચિત્તે કરી કલ્પસૂત્ર સાંભલવાથી પણ ક્ષય થાય છે. શ્રીજિનશાસનમાં પૂજા પ્રભાવના કરવામાં તત્પર રહેલા એવા જે લોક એકાગ્રચિત્તે કરીને શાસનપ્રભાવના કરે, પૂજા કરે, કલ્પસૂત્રને એકવીશ વખત શ્રવણ કરે, તે પ્રાણી સંસારરુપ સમુદ્રને તરી પાર પામે છે. II ઈતિ તૃતીય દ્વાર ॥૩॥ હવે ચોથા દ્વારમાં શ્રીજિનેશ્વરની પૂજાનો વિધિ કહે છેઃ- જે વિધિના જાણ શ્રાવક, પજોસણ આવે થકે, શ્રીઅરિહંતની પ્રતિમાને મોટી ઋદ્ધિ સહિત રથને વિષે સ્થાપીને સ્નાત્ર પૂજનાદિક કરણી કરે, તેમ વલી ચંદન, કસ્તૂરી, કેશર પ્રમુખ સુગંધી વસ્તુએ કરી શ્રી અરિહંતની પ્રતિમાને વિલેપન કરે, વલી અષ્ટ પ્રકારે તથા સત્તર પ્રકારે શ્રીવીતરાગની પ્રતિમાની પૂજા વિસ્તારપૂર્વક વિશેષપણે કરે. જે માટે કહ્યું છે કે સંવત્સરીને વિષે, ચઉમાસીને વિષે, તેમજ અઠ્ઠાઈને વિષે એ ત્રણ પર્વમાં સર્વ કોઈ શ્રાવકે ઘણા આદર સહિત શ્રીજિનવરની પૂજા કરી ગુણોત્કીર્તન કરવાં. જેમ પર્યુષણપર્વના આઠ દિવસ પર્યંત શ્રીનંદીશ્વરદ્વીપને વિષે વૈમાનિકાદિક ચાર નિકાયના દેવતા મલીને અઠ્ઠાઈનો મહોત્સવ કરી શ્રીજિનરાજની પૂજા કરે છે, તેમ ત્રણે ચોમાસીની અઠ્ઠાઈ તથા ચૈત્રની અઠ્ઠાઈ અને આસોની અઠ્ઠાઈ, એ સર્વ મલી પજોસણ સહિત છે. એ અઠ્ઠાઈમાં તથા શ્રી પર્યુષણા ૧૬૦ www.jainelibrary.org Jain Education International 2010_03 For Private & Personal Use Only
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy