SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ [31 [૧૧] ॥ અથ શ્રીપર્યુષણાચિંતામણિપ્રકરણપ્રારંભઃ ॥ ચિદાનંદસ્વરુપાય, રુપાતીતાય તાયિને ।। નમઃ શ્રીજ્યોતિષે તસ્મૈ, નમઃ શ્રીપરમાત્મને ।। ૧ ।। પ્રણમ્ય પ્રણતાશેષ, વીર વીરજિનેશ્વરમ્ ॥ પર્યુષણાવિધેરત્ર, ગ્રંથઃ પ્રારભ્યતે મયા ॥ ૨ ॥ આદિમાં ગ્રંથકર્તા ચરમ તીર્થંકર શ્રીવીરજિનને અતિશયે કરી શુદ્ધભાવ સહિત મન, વચન, કાયાએ કરી નમસ્કાર કરીને શ્રીમદુપદેશરતકોષ નામે ગ્રંથને અનુસારે વલી શ્રીસિદ્ધાંતના સાંભલવા થકી તથા ગુરુપરંપરાદિકથી સાંભલીને પજોસણ પર્વના વિધિનો અનુક્રમ કહેવા માટે ગ્રંથની રચના કરે છે. તિહાં પ્રથમ એ શ્રીપર્યુષણપર્વ માહાત્મ્યવિધિ સામાચારી કેણે કહી, કેણે પૂછી, કેણે સાંભલી? તે કહે છે. આ જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં મગધ નામે દેશ છે, તેને વિષે જેમાં નિરંતર મહોત્સવ થઈ રહ્યા છે, એવાં ઘણાં જિનાલય છે. જેમાં વીતરાગભાષિત ધર્મના સેવનાર શ્રાવકજનો મહોત્સવ કરતાં વસે છે, જિહાં સંકીર્ણ નીલાં વૃક્ષના સમૂહે કરી સુશોભિત ઉપવન છે. એવી ભોગાવતી નગરીની પેરે રાજગૃહી નામે નગરી છે. જિહાં સમસ્ત રાજપર્ષદાએ કરીને સુશોભિત એવું રાજાનું સિંહાસન છે તિહાં બહોંતેર કલાનો જાણ સમસ્ત રાજનીતિએ કરી સહિત એવો શ્રેણિક નામે રાજા રાજ્ય કરે છે. તેની સત્યશીલે ગુણથી ભરેલી અને જૈનધર્મને શોભાવનારી એવી ચેલણા નામે રાણી છે. તિહાં રાજસભાએ દેવોમાં જેમ ઈંદ્ર શોભે તેમ શ્રેણિક રાજા ઈંદ્રની પેરે શોભે છે, અને સભાજનો દેવતાની પેરે શોભે છે. તિહાં કોઈક સમયે વનમાંહે માંહોમાંહે સ્વભાવેજ જેને વૈર છે, એવા અશ્વ અને પાડા, ઉંદર અને બિલાડી, સર્પ અને નોલીયા ઈત્યાદિક જાનવરો સર્વ પોતપોતામાં વૈરભાવ છાંડીને માંહોમાંહે સ્નેહ ધરતાં થકાં એકઠાં બેઠેલાં વનના રક્ષક પુરુષે દીઠાં. એવી શ્રી પર્યુષણા Jain Education International 2010_03 For Private & Personal Use Only ૧૫૫ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy