SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અચરિજની વાત દેખીને વનપાલક વિચારવા લાગ્યો કે અહો ! એનું કારણ તે શુભ હશે કે અશુભ હશે ? એમ વિમાસણ કરતાં ફરતાં ફરતાં તેણે વૈભાર પર્વતની ઉપર અનેક દેવતાએ સહિત ચોસઠ ઈદ્રો જયજયારવ કરી રહ્યા છે તથા દેવદુંદુભિના નાદે કરી સંપૂર્ણ દિશિઓ પૂરાણી છે, એવી શોભાના ધારક અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત એવા શ્રીવીરજિન સમોસયા દીઠા. તે જોઈ વનપાલક આનંદ પામ્યો થકો પોતાના મનમાં વિચારવા લાગ્યો જે આ માંહોમાંહે જાતિ વૈરભાવ ત્યાગીને એકઠાં મલી બેઠેલાં જે અશ્વાદિક મેં દીઠાં, તે સર્વ એ શ્રીવર્ધ્વમાનસ્વામીનું માહાભ્ય છે. એવું જાણી કેટલાંએક અકાલિક વનફલ ગ્રહી રાજા યોગ્ય ભેટયું લઈને શ્રેણિક રાજા પાસે આવી હાથને વિષે ફલ દઈને કહેવા લાગ્યો કે હે મહારાજ! તમારાં પુણ્યના ઉદયથી વૈભાર પર્વતની ઉપર શ્રી વીર ભગવાન્ દેવરચિત સમવસરણે બિરાજ્યા છે, એવું સાંભલી આસન થકી ઉઠી જે દિશિએ પ્રભુ સમોસયા છે, તે દિશિએ સાત આઠ પગલાં સામો જઈ પંચાંગ નમસ્કાર કરી પોતાને અંગે પહેરેલાં વસ્ત્રાભરણ માંહેલા એક મુકુટને વર્જીને શેષ સર્વનું વનપાલકને પ્રીતિદાન દઈને પાછો વાલ્યો. પછી આનંદ નામે ભેરી વજડાવી. તેના શબ્દ કરી સમગ્ર દિશાઓ પૂરાણી. તે શબ્દ નગરનિવાસી સર્વ લોકોએ સાંભલ્યો. પછી પોતાનો પરિવાર લઈ નાગરિક લોક સહિત શ્રીવીર ભગવાનને વાંચવા માટે શ્રેણિક રાજા સમોસરણ ભણી જતા હતા. તિહાં સમોસરણ દેખતાંજ છત્ર, ચામર, વાહન, શસ્ત્ર અને પતાકા એ પાંચ રાજચિહ્ન મૂકી અભિગમ સાચવી ભગવાનને જમણા પાસા થકી ત્રણ પ્રદક્ષિણા દેઈ વાંદીને સ્તુતિ કરતા હતા. અદ્યાભવ સફલતા નયનદ્રયસ્ય, દેવ ત્વદીયચરણાંબુજવીક્ષણેન // અદ્ય ત્રિલોકતિલક પ્રતિભાસિતે મે, સંસારવારિધિરયં ચુલુકપ્રમાણઃ / ૧ / અર્થ - હે પ્રભો ! આજનો દિવસ મારો ધન્ય છે. હે દેવ ! તમારા ચરણ કમલ સમાન જોવે કરીને મારી બેહુ આંખો સફલ થઈ. આજ ત્રણ લોક માંહે તિલક સમાન એવા તમોને મેં દીઠા, માટે મેં સંસારરુપ સમુદ્રને અંજલિજલા પ્રમાણ કયો II 1 II ઈત્યાદિક સ્તુતિનાં એક હજાર કાવ્ય કરીને શ્રીવીરની સ્તવના કરી, પછી સર્વ મુનિઓ માંહે અગ્રેસર શ્રીગૌતમ ગુરુને સ્તવીને ભગવાનથી સાડા ત્રણ હાથ દૂર યથાયોગ્ય સ્થાનકે બેઠા. શ્રી પર્યુષણા ૧૫૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy