SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ મારું પરઠવવું. (૪) અપ્રમાર્જિત દુઃપ્રમાર્જિત ભૂમિએ માત્રુ પરઠવવું. (૫) પોસહ લીધા પછી ભોજનની ચિંતવના કરવી, જે પોસહ ક્યારે પૂરો થાય, અને ક્યારે ભોજન કરીશ ? એવું ચિંતવવું. હવે બારમા અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર કહે છે ઃ (૧) સાધુને અણદેવાની બુદ્ધિએ દેવા યોગ્ય વસ્તુને સૂચિત વસ્તુની ઉપર મૂકે. (૨) તો દેવા યોગ્ય આહારની ઉપર સચિત્ત ફલાદિક ઢાંકે. (૩) લાડવા પ્રમુખ પોતાના હોય તો પણ અણદેવાની બુદ્ધિએ પારકા કહે. (૪) અમુકે ફલાણાએ દાન આપ્યું, તેવું હું કાં ન આપું તે માત્સર્ય અતિચાર. (૫) વહોરવાની વેલા ટલી ગયા પછી સાધુને આહાર આપવાને અર્થે બોલાવે, તે કાલાતિક્રમ અતિચાર. એ પ્રમાણે એક સો ચોવીસ અતિચાર માંહેલો કોઈ પણ અતિચાર, જાણતાં અજાણતાં પ્રમાદ દોષથી બાલપણે ભૂલથી લાગ્યો હોય, તે સર્વ દોષનું ચોમાસીને દિવસે મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં દેવું એ અતિચાર ભલા શ્રાવકે જાણવા, પણ આદરવા નહીં. એ રીતે ચોમાસાને દિવસે ધર્મને વિષે આદર કરવાથી ઉત્તરોત્તર માંગલિકની માલા થાય. ।। ઈતિ ચાતુર્માસિક વ્યાખ્યાન સંપૂર્ણ ॥ ૧૫૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only શ્રી ચઉમાસીપર્વ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy