SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ગોટલી સહિત ખાય, તે સચિત્ત પ્રતિબદ્ધ અતિચાર. (૩) અણચાલ્યો આટો પ્રમુખ ખાય, તે અલ્પૌષધિ ભક્ષણ અતિચાર. (૪) ઉંલા, પોંખ પ્રમુખ શેકેલા ખાય, તે દુપક્કૌષધિ અતિચાર. (૫) જે વસ્તુમાં પૂરાં બીજ થયાં ન હોય અને ખાતાં થકા પણ ધરાય નહીં તે તુચ્છૌષધિ ભક્ષણ અતિચાર. હવે આઠમાં અનર્થદંડવિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે - (૧) વિકાર સહિત વચન બોલે, કામોદીપકશાસ્ત્ર શીખે, તે કંદર્પ અતિચાર. (૨) મુખ, આંખ, પાંપણ વિગરેથી ભાંડચેષ્ટા કરે, તે કૌકુચ્ચ અતિચાર. (૩) ગાલ પ્રમુખ અસંબંધપણે બોલે, તે મૌખર્ય અતિચાર. (૪) ઉખલ, મુસલ, ઘંટી પ્રમુખ અધિકરણ વસ્તુનો બીજાને આપવા માટે સંગ્રહ કરે, તે સંયુક્તાધિકરણ અતિચાર. (૫) સ્નાનાદિક સંબંધી વસ્તુને વિષે અત્યાસક્તિ કરે, તે ભોગપભોગાતિરિક્ત અતિચાર. હવે નવમા સામાયિક વ્રતના પાંચ અતિચાર કહે છે. (૧) મનને વિષે પાપ કરવાની વાત વિચારે, તે મનોદુપ્રણિધાન અતિચાર. (૨) વિકથાદિક કરે, તે વચનદુપ્રણિધાન અતિચાર. (૩) વગર પડિલેહણ કરેલ સ્થાનકે હાથ પગ મેલે, તે કાયદુપ્રણિધાન અતિચાર. (૪) સામાયિક લીધા પછી બે ઘડી ધર્મધ્યાન કરવું જોઈએ, તે ન કરે, તે અનવસ્થાદોષ અતિચાર. (૫) સામાયિક મેં કીધું કે નથી કીધું? એવી ભ્રાંતિ થાય, તે સ્મૃતિવિહીન અતિચાર. હવે દશમા દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર કહે છેઃ (૧) જેટલી ભૂમિ નિયમમાં રાખી હોય તેથી ઉપરાંત બાહિરલી વસ્તુ મગાવે, તે આનયન પ્રયોગાતિચાર. (૨) પોતાની પાસે કોઈ અધિક વસ્તુ હોય, તે નિયમભૂમિથી બાહિરલી ભૂમિએ મોકલાવી હોય. (૩) કોઈ કાર્યાર્થી પર પ્રત્યે બોલતો દેખીને વચનમાં પોતાનું કામ કરવા માટે તેને ખોંખારો કરી બોલાવે, તે શબ્દાનુપાત અતિચાર. (૪) કોઈ કાર્યાર્થી પર પ્રત્યે પોતાનું રૂપ દેખાડે, બોલાવે, તે રુપાનુપાત અતિચાર. (૫) કોઈને કાંકરો નાખી સાદ કરી બોલાવે, તે પુદ્ગલપ્રક્ષેપાતિચાર. હવે અગીયારમા પૌષધ વ્રતના પાંચ અતિચાર કહે છેઃ (૧) અપ્રતિલેષિત પ્રતિલેષિત સજ્જા સંથારાને સેવવો. (૨) અપ્રમાર્જિત દુ:પ્રમાર્જિત શય્યા સંથારો પાથરવો. (૩) અપ્રતિલેષિત દુપ્રતિલેષિત ભૂમિ ઉપર શ્રી ચઉમાસીપર્વ ૧૫૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy