SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સંબલ આપે, તે તસ્કરપ્રયોગ અતિચાર. (૩) વૃતાદિકમાં ચરબી પ્રમુખ ભૂલી વેચવી, તે તત્પતિરુપક્ષેપકાતિચાર. (૪) જે ગામાદિકે વ્યાપાર કરવા માટે રાજાની મનાઈ છે. તિહાં લાભને અર્થે વસ્તુ લઈ જઈને વેચવી, તે રાજવિરુદ્ધ ગમન અતિચાર. (૫) કૂડાં તોલાં તથા કૂડાં માપ રાખવાં, તેનાથી વ્યાપાર કરવો, તે કૂટતોલ કૂટમાન અતિચાર. - હવે ચોથા સ્થૂલ મૈથુન વ્રતના પાંચ અતિચાર કહે છેઃ- (૧) વેશ્યા, વિધવા અને કુમારિકા સાથે ગમન કરવું, તે અપરિગૃહીતાગમન અતિચાર. (૨) ભાડું આપી થોડા કાલ લગે પોતાની સ્ત્રી કરી રાખવી, તે ઈત્રપરિગૃહીતાગમન અતિચાર. (૩) સ્ત્રી પુરુષનાં ચિહ્ન તે કુચ, કાખ, સાથલ, મુખ ઈત્યાદિકે રમણ કરવું, તે અનંગક્રીડા અતિચાર. (૪) પારકા છોકરા છોકરીના વિવાહ જોડવા, પરણાવવાં, તે પરવિવાહકરણ અતિચાર. (૫) કામભોગને વિષે તીવ્ર અભિલાષા કરવી, તે તીવ્રાનુરાગ અતિચાર. હવે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર કહે છે : (૧) ધન ચાર પ્રકારનું, ધાન્ય ચોવીશ પ્રકારનું, એ બહુનાં પરિમાણ કસ્યા પછી વધારે થતાં દેખે, તે વારે બીજાના ઘરમાં રાખે. (૨) ક્ષેત્ર, ઘર પ્રમુખ વધારે થતાં દેખીને બેની વચલી વાડ વેગલી કરી એક કરે. (૩) સોનું, પું લીધેલા પરિમાણથી વધારે થતું દેખે તે વારે પોતાની સ્ત્રીને આપી દીએ. (૪) થાલી, વાટકા પ્રમુખ નિયમથી વધારે થતાં દેખી દશ વાસણને તોડાવી તેના પાંચ ભારે વજનવાલાં વાસણ કરાવી રાખે. (૫) ઢોર પ્રમુખ પોતાના નિયમથી વધારે થતાં દેખી લોકોને કહે કે થોડા દિવસ આ બે ઢોર મારાં છે તે તમે રાખો, પછી હું લઈ જઈશ. એ પાંચ અતિચાર કહ્યા. - હવે છઠ્ઠા દિશિ પરિમાણ ગુણવ્રતના પાંચ અતિચાર કહે છે - ઉંચી, નીચી અને તીચ્છી દિશિના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરે, તે ત્રણ અતિચાર થયા. ચોથો કોઈ દિશિએ વધારે જવાનું કામ પડે તે વારે એક દિશિના યોજન બીજી દિશિમાં મેલવે, તે ક્ષેત્રવૃદ્ધિ અતિચાર. પાંચમો દિશાનું પ્રમાણ કરેલું ભૂલી જાય, તે મૃત્યંતર્ધા અતિચાર. હવે સાતમા ભોગપભોગ વ્રતના પાંચ અતિચાર કહે છે :- (૧) સચિત્ત વસ્તુનો નિયમ કરી પછી દાડિમાદિક અચેત જાણી ખાય. (૨) પાકી કેરી પ્રમુખ ૧૫ર - શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy