SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદિક ત્રણ ગુપ્તિ મલી આઠ પ્રવચનમાતાને રૂડી રીતે પાલે નહીં, વિપરીત પાલે તો આઠ અતિચાર લાગે. - હવે તપાચારના બાર અતિચાર કહે છે - છ ભેદ અત્યંતર, અને છ ભેદ બાહ્ય, મેલી બાર પ્રકારનું તપ પોતાની શક્તિને અનુસાર ન કરે, કરીને વિસારી મૂકે, તો અતિચાર લાગે. - હવે વીર્યાચારના ત્રણ અતિચાર કહે છે. મન, વચન અને કાયા એ ત્રણે યોગને અશુભ વ્યાપારને વિષે જે પ્રવર્તાવવા, તે ત્રણ અતિચાર જાણવા. - હવે સમકિતના પાંચ અતિચાર કહે છે:- (૧) શ્રીવીતરાગે કહેલા ભાવને વિષે સંદેહ રાખવો. (૨) નવા નવા મતની અભિલાષા કરવી. (૩) ધર્મના ફલનો સંદેહ રાખવો, અથવા મલે કરી મલિન સાધુ સાધ્વીને દેખી દુગચ્છા કરવી. (૪) મિથ્યાત્વીઓના ધર્મની પ્રશંસા કરવી. (૫) મિથ્યાત્વીઓની સાથે પરિચય કરવો. એ પાંચ જાણવા. હવે બાર વ્રતના સાઠ અતિચાર છે. તેમાં પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વ્રતના પાંચ અતિચાર કહે છે - (૧) નિર્દયપણે પશુ પ્રમુખને મારવાં, તે વધ અતિચાર. (૨) દોરડા પ્રમુખથી આકરે બંધને બાધવાં, તે બંધ અતિચાર. (૩) કાન પ્રમુખનું છેદવું, તે છવિ છેદ અતિચાર. (૪) ઉંટ બલદાદિક ઉપર ઘણો ભાર ભરવો, તે અતિભારારોપણ અતિચાર. (૫) પશુ પ્રમુખને ખાવાનો વખત ટાલી પછી ચારો પાણી આપવાં, તે ભક્તપાનવ્યવચ્છેદ અતિચાર. એ પાંચ જાણવા. - હવે બીજા સ્થૂલમૃષાવાદ વ્રતના પાંચ અતિચાર કહે છે - (૧) બીજાને વગર વિચારે કહેવું કે તું ચોર છો, જાર છો, તે સહસાવ્યાખ્યાન અતિચાર. (૨) એકાંતે કોઈને વાત કરતાં દેખીને કહેવું કે તમે રાજ્યવિરુદ્ધ વાતો કરો છો, તે રહસ્યાભ્યાખ્યાન અતિચાર. (૩) પોતાની સ્ત્રીએ અથવા મિત્રાદિકે કાંઈ ગુહ્ય વાત કરી હોય, તે બીજાની આગલ પ્રકાશી આપે, તે સ્વદારામંત્રભેદ અતિચાર. (૪) કષ્ટમાં પડેલા મનુષ્યને જૂઠો ઉપદેશ આપે, તે મૃષાઉપદેશ અતિચાર. (૫) જૂઠા લેખ લખવા, જૂઠી સાક્ષી ભરવી, તે કૂટલેખ અતિચાર. એ પાંચ જાણવા. - હવે ત્રીજા સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છેઃ- (૧) ચોરી લાવેલી વસ્તુ રાખે, તે તેનાહત અતિચાર. (૨) ચોરને ચોરી કરવા માટે શ્રી ચઉમાસીપર્વ ૧૫૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy