SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કંસારા, ભાડભુંજા, રંગારા પ્રમુખનાં કર્મ કરવાં, તે સર્વ ઈંગાલકર્મ કહીએ. (૨) વનસ્પતિ, ફલ, ફૂલ, પાન, શાક, ભાજી પ્રમુખનું વેચવું, તે વનકર્મ. (૩) ગાડાં, વહેલ પ્રમુખ આજીવિકા અર્થે ઘડીને વેચવાં, તે શકટકર્મ. (૪) ઉંટ, પોઠીયા, ગાડા પ્રમુખનું ભાડું કરવું, તે ભાટકકર્મ. (૫) વાવ્ય, કૂવા, તલાવ પ્રમુખનું ખણવું, પાષાણનું ઘડવું, તે ફોટિકકર્મ. (૬) આગરે જઈ દાંત પ્રમુખ લેવા તે દંતકુવાણિજ્ય. (૭) લાખ, ગલી, મણસીલાદિકનું વેચવું, તે લાખકુવાણિય. (૮) મધુ મદ્યાદિકનો વ્યાપાર, તે રસકુવાણિજ્ય. (૯) જે ચીજ ખાવાથી મરણ નીપજે, તેવી ચીજનો વ્યાપાર, તે વિષકુવાણિજ્ય. (૧૦) દ્વિપદ ચતુષ્પદનું વેચવું, તે કેશકુવાણિજ્ય. (૧૧) તેલ, સરસવ અલસી પ્રમુખનું પીલાવવું, તે યંત્ર-પીલનકર્મ. (૧૨) બલદ, ઘોડા પ્રમુખને સમરાવવા તથા તેના કર્ણાદિકનું છેદાવવું, તે નિલંછનકર્મ. (૧૩) દવ દેવા, દેવરાવવા, તે દવદાન કર્મ. (૧૪) અણખણ્યા તલાવને સર કહીએ, અને ખણેલા સરોવરને તલાવ કહીએ, તે સર, તલાવ, દ્રહ પ્રમુખનું શોષાવવું, તે શોષણકર્મ. (૧૫) શ્વાન, માર્જર, શુક, સારિકા પ્રમુખનું પોષણ કરવું, તે અસતીપોષણકર્મ. એ પન્નર અતિચાર કર્માદાનના કહ્યા. હવે જ્ઞાનના આઠ અતિચાર કહે છે. (૧) અકાલવેલાએ નિષેધ્યા દિવસે જ્ઞાન ભણવું. (૨) જ્ઞાનવંતનો વિનય ન કરવો. (૩) જ્ઞાનનું બહુમાન ન કરવું, પ્રીતિ ન રાખવી. (૪) ઉપધાન પ્રમુખ ન વહેવા. (૫) જે ગુરુ પાસે ભણ્યા, તેનું નામ ઓલવી બીજો ગુરુ સ્થાપવો. (૬) વ્યગ્ર ચિત્તે સૂત્રપાઠનો શુદ્ધ ઉચ્ચાર ન કરવો. (૭) સૂત્રના શુદ્ધ અર્થ ન કહેવા. (૮) સૂત્ર અને અર્થ બહુ અશુદ્ધ કહેવા. એ આઠ કહ્યા. ' હવે દર્શનના આઠ અતિચાર કહે છે - (૧) દેવ ગુરુ ધર્મને વિષે શંકા કરવી. (૨) સર્વ ધર્મ સારા છે, એવી શ્રદ્ધા રાખવી. (૩) ધર્મના ફલનો સંદેહ રાખવો. (૪) મિથ્યાત્વીઓનો મહિમા દેખીને તેના ઉપર રાગ રાખવો. (૫) સાધુની નિંદા તથા અન્યદર્શનની સ્તવના કરવી. (૬) સમકિતથી પડતાને પ્રતિબોધીને તેમાં સ્થિર ન કરવો. (૭) છતી શક્યું જિનધર્મની પ્રભાવના ન કરે. (૮) છતી શક્તિ શ્રીસંઘનું વાત્સલ્ય ન કરે. એ દર્શનના અતિચાર જાણવા. હવે ચારિત્રના આઠ અતિચાર કહે છે -ઈરિયાદિક પાંચ સમિતિ અને શ્રી ચઉમાસીપર્વ ૧૫O Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy