SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય લાવીને ક્ષત્રીઓને દેખાડ્યું અને કહ્યું કે હે સરદારો ! તમે કાલે કહેતા હતા જે માંસ સોંઘું મલે છે, અને રાત્રિએ હું એટલું દ્રવ્ય લઈને બે ટાંક માંસ લેવા ગયો હતો, પણ ક્યાંહિ મળ્યું નહીં, તો તમે રાજસભામાં આવીને કેમ જૂઠું બોલ્યા? એમ કહી સર્વને નિભંડ્યા અને માંસ ન ખાવાનો નિયમ કરાવ્યો. તેમ વલી કહ્યું છે કે I માં તુર્તમ નો, નક્ષેળાપ ન નખ્યતે | એવી રીતે બીજાએ પણ પ્રાણીઓને અભયદાન દેવાની બુદ્ધિ અભયકુમારની પેઠે રાખવી. હવે પર્વ દિવસે બાર પ્રકારનું તપ કરતાં થકા દુષ્ટ કર્મોનો નાશ થાય, તેની ઉપર દઢપ્રહારીનો દૃષ્ટાંત કહે છે - માકંદીનગરીએ સુભદ્ર નામે શેઠ વસે છે. દૃઢપ્રહારી દત્ત નામે પુત્ર છે. તે નાના બાળકો સાથે રમવા જાય. અને લોકોના બાળકોને મારે, લોકોની વઢવાડ નિત્ય પ્રત્યે પાંચ સાત વાર લાવે. તે વારે સર્વ લોકે મલી શેઠને લિંભો દીધો. તેથી પિતાએ બાલકને ઘણોએ વર્યો, પણ છોકરો અવિનીત માટે માને નહીં. પછી લોકે રાજાની આગલ પોકાર કર્યો. રાજાએ દઢપ્રહારીને નગર બહાર કઢાવ્યો. તે ચોરોની પલ્લીમાં જઈ મલ્યો. ચોરોની સાથે ચોરી કરવા શીખ્યો. એક દિવસ ચોરની ધાડ લઈને બ્રાહ્મણને ઘેર ચોરી કરવા ગયો. તિહાં તેના ઘરને બારણે એક ગાય બાંધી હતી તે ચોરોને મારવા ધાઈ. તે વારે દૃઢપ્રહારીએ તેને ખગથી મારી નાખી. પછી બ્રાહ્મણ જાગ્યો. તે લાકડી લઈ ચોરોને મારવા દોડ્યો તેને પણ દઢપ્રહારીએ ખગથી મારી નાખ્યો, તે બ્રાહ્મણની સ્ત્રી ગર્ભવતી હતી તે પોતાના સ્વામીને માર્યો જાણી રુદન કરતી કોલાહલ કરવા લાગી. તેને પણ તેજ ખગે કરી મારી નાખી, તેથી તે બ્રાહ્મણીનો ગર્ભ ધરતી ઉપર નીકળી પડ્યો. તેને તડફડતો દેખીને દઢપ્રહારી મનમાં દયા આણીને વિચારવા લાગ્યો કે, અરે ધિક્કાર છે મુજને ! મેં ચાર હત્યા કરી આ મહા અધોર પાપ કર્યું, હવે એ મારું પાપ ચારિત્ર લીધા વિના છૂટવાનું નથી. એમ ચિંતવી ચારિત્ર લઈ મનમાં એવો અભિગ્રહ લીધો કે જે જે મેં પાપ કર્યાં છે, તે જ્યાં સુધી મને યાદ આવે, ત્યાં સુધી મારે અન્ન પાણી લેવું નહીં. એવો નિર્ધાર કરીને પૂર્વદિશાને બારણે કાઉસ્સગ્ન લઈ ઉભો રહ્યો. એમ બે બે માસને આંતરે ગામના ચારે દરવાજા ફઢ્યો. તિહાં પ્રત્યેક દરવાજે લોકો તેને ચોર જાણી તથા ગાય બ્રાહ્મણનો શ્રી ચઉમાસીપર્વ ૧૪૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy