SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ તિહાં વેશ્યાએ સાધુની ઘણી કદર્થના કરી, પણ ચલ્યા નહીં. તિહાંથી નીકલી વનમાં જઈને કાઉસ્સગ્ગધ્યાને રહ્યા. તિહાં અભયા વ્યંતરીએ આવીને મુનિને શરીરે અનેક ઉપસર્ગ કરડ્યા. તે સર્વ સહન કરતા શુભ ધ્યાને ચઢ્યા થકા કર્મને નિર્જોરાવતા ક્ષપકશ્રેણી આરોહીને કેવલજ્ઞાન પામ્યા. દેવતાએ કેવલમહોત્સવ કરચો. મુનિ પણ ધર્મદેશના દઈ અભયા વ્યંતરી, તેની ધાવમાતા અને વેશ્યા આદિક બીજા પણ ઘણા જીવોને સમકિત અંગીકાર કરાવી આયુ પૂર્ણ કરી મોક્ષે પધારચા. એ શીલના માહાત્મ્ય વિષે સુદર્શન શેઠની કથા કહી. હવે પર્વના દિવસે દાન કરવું, તેના પાંચ ભેદ છે. એક મરતા જીવને છોડાવવો, તેને અભયદાન કહીએ. બીજું શ્રીસંઘને ચાર પ્રકારનો આહાર આપવો, તેને સુપાત્ર દાન કહીએ. ત્રીજું સર્વ જીવની ઉપર દયા પરિણામ રાખવો, તેને અનુકંપાદાન કહીએ. ચોથું યાચક પ્રમુખને દાન દેવું, તે કીર્તિદાન કહીએ. પાંચમું કુટુંબ વગેરેને દેવું, તે ઉચિત દાન કહીએ. એ પાંચ દાન માંહેલાં પહેલાં બે દાન થકી મોક્ષની પ્રાપ્તિ થાય, અને પાછલનાં ત્રણ દાન થકી ઈચ્છિત ભોગવસ્તુની પ્રાપ્તિ થાય. તિહાં અભયદાન ઉપર દૃષ્ટાંત કહે છે : રાજગૃહી નગરીએ શ્રેણિક રાજાનો અભયકુમાર પ્રધાન છે. એકદા સર્વ સભા ભરી છે, તે વખતે રાજા બોલ્યો, હે લોકો ! આપણા નગરમાં ઘણી સ્વાદવંત અને સસ્તા એટલે સોંઘા મૂલ્યવાલી કઈ જણસ મલતી હશે ? તે વારે ક્ષત્રીય બોલ્યા, હે મહારાજ ! માંસ સસ્તું મલે છે, અને તેમાં સ્વાદ પણ ઘણો છે. તે સાંભલી અભયકુમારે વિચારવું જે એ નિર્દય પ્રાણી ફરી એવું ન બોલે, એવી યુક્તિ કરવી જોઈએ. એમ નિર્ધા૨ીને બીજે દિવસે રાત્રિને વિષે જૂદા જૂદા ક્ષત્રીઓને ઘેર જઈ કહેવા લાગ્યો કે હે સરદારો ! આજે રાત્રે રાજકુમારને શરીરે અકસ્માત્ રોગ પેદા થયો છે, તેથી તે મહા દુઃખ પામે છે. ત્યાં ઘણા વૈદ્યો એકઠા થયા છે. તેમણે એવું કહ્યું છે કે માણસનું કાલનું બે ટાંક જેટલું લાવીને ખવરાવો તો એ કુમારનું શરીર નીરોગી થાય. માટે તમે રાજાના સાધર્મી છો તો એ કામ તમારાથી થશે. તે વારે પહેલા ક્ષત્રીએ કહ્યું કે હજાર સોનૈયા લ્યો અને મને છોડી તમે બીજાને ઘેર જાઓ. તિહાં હજાર સોનૈયા લઈ બીજાને ઘેર ગયા. તિહાંથી પણ સોનૈયા મલ્યા, ફરી ત્રીજાને ઘેર ગયા, એમ તે રાત્રિમાં ફરીને અભયકુમારે બે લાખ સોનૈયા ભેલા કરવા. પ્રભાત થયું, તે વારે સભા માંહે શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only ૧૪૭ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy