SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ કાઉસ્સગ્ગ રહ્યો છે. તેને રાણીની ધાવમાતાએ કામદેવની મૂર્તિનો છલાવો કરી શેઠને તિહાંથી ઉપાડી પોતાના મહેલમાં લાવી રાણીને સ્વાધીન કરો. ત્યાં રાણીએ આખી રાત્રિ શેઠને હાવભાવ દેખાડ્યો, પરંતુ શેઠે લગાર માત્ર પણ કામ ભોગની ઈચ્છા કરી નહીં. કિંચિત્માત્ર પણ શીલ થકી ચૂક્યો નહીં. એમ કરતાં પ્રભાતસમય થયો, તે વારે રાણીએ પોતાનું શરીર વલૂરી કંચુકો ફાડી નાખ્યો. એવી અવસ્થા કરી પોકાર કરવો કે હે લોકો ! તમે જલદી આવો, જલદી આવો!! આ પાપીએ મારી આબરુ લીધી !! તે સાંભલતાંજ ચોકીદાર પોરાયતે આવી શેઠને પકડ્યો. તે કોલાહલ સાંભલી રાજા પોતે પણ તિહાં આવ્યો. સુદર્શન શેઠને હકીકત પૂછી, પણ શેઠ કાઉસ્સગ્ગ ધ્યાને મૌનપણે રહ્યા હતા, માટે રાજાને કાંઈ જવાબ આપ્યો નહીં. રાજાએ તેને ચોર જાણી કોટવાલને હુકમ કરચો કે એ શેઠને વિટંબના કરી શુલીએ ચઢાવો. કોટવાલ પણ રાજાનો હુકમ પ્રમાણ કરી શેઠને વિટંબના કરતો કરતો મારવાને સ્થાનકે લઈ ગયો, તે વારે શેઠની સ્ત્રી મનોરમાએ સાંભળ્યું, ત્યારે વિચારવા લાગી, જે આ મારા સ્વામી ઉપર નિષ્કારણ કલંક કેમ ચઢ્યું ? એમ ચિંતવી દેરાસરે જઈ ભગવાનની શુદ્ધ ભાવે પૂજા કરી બે હાથ જોડી કહેતી હતી કે હે શાસનદેવતાઓ ! મારા પતિ ઉપર નિષ્કારણ કલંક ચઢેલું છે, તેથી તેની તમે સહાય કરજો, અને જ્યાંસુધી કલંક ઉતરે નહીં, ત્યાંસુધી મારે કાઉસ્સગ્ગ પારવો નહીં. એમ કહી કાઉસ્સગંધ્યાને ઉભી રહી. તિહાં સુદર્શન શેઠને શુલીએ ચઢાવ્યો. તે નવકારના સ્મરણથી દેવોએ આવી શુલી મિટાડીને સિંહાસન કરવું. જિહાં ખડ્ગના પ્રહાર મારે તિહાં આભૂષણ થાય. એવી વાત સાંભલીને રાજાદિક સર્વ લોક તિહાં આવ્યા. રાજાએ શેઠને પ્રણામ કરી પોતાનો અપરાધ ખમાવ્યો. ઘણું સન્માન કરી મોટે મહોત્સવે શેઠને ઘેર પહોંચાડ્યો. તે વારે મનોરમાએ કાઉસ્સગ્ગ પાયો, અને અભયા રાણી રાજા થકી બીહતી થકી ગલે ફાંસો ખાઈ અશુભ ધ્યાનથી મરણ પામીને વ્યંતરી થઈ, અને ધાવમાતા નાસીને પટણામાં દેવદત્તા નામે વેશ્યાને ઘેર જઈ રહી, તિહાં વેશ્યાની આગલ શેઠના શીલની પ્રશંસા કરતી રહે છે. એવામાં સુદર્શન શેઠ દીક્ષા લઈ વિહાર કરતા પટણા નગરે ગયા. તિહાં અભયાની ધાવમાતાએ મુનિને ઓલખ્યા. તે વારે કપટશ્રાવિકા થઈને નિત્ય પ્રત્યે મુનિને વાંદવા સારુ આવે. એક દિવસે મુનિને કહેવા લાગી કે મહારાજ ! મારે ઘેર સૂજતો આહાર છે, માટે આપ વહોરવા પધારો. એમ છલ કરી છેતરીને સાધુને વેશ્યા ઘેર લાવી. ૧૪૬ શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy