SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાનું ચરિત્ર સાંભલી તે સ્ત્રી પોતાના મનમાં ચમકી, અને કહેવા લાગી કે અરે ! જો તારામાં સામર્થ્ય હોય અને મારી ઈચ્છા પૂર્ણ થાય તો એટલું બધું કષ્ટ કોણ કરે ? તે સાંભલી નીશાલીએ કાંઈ પણ ઉત્તર દીધો નહીં, તે વારે સ્ત્રીએ જાણ્યું જે એણે મારા ધણીની બીકથી અથવા લાજથી કાંઈ પણ ઉત્તર દીધો નહીં. જો પાપી મારા સ્વામી ડોસાને મારી નાખ્યો હોય તો આ નીશાલીઓ મારો આદર કરે. એમ ચિંતવી તે પાપણી સ્ત્રીએ અકસ્માત પોતાના ધણીને મારી ગાંઠડી બાંધી પેટીમાં ઘાલી માથે ચઢાવી અને તેને બારણે નાખવા ગઈ. તે વારે આસન્નવર્તિ વનવાસી નિકાયના દેવતાએ તેના માથા ઉપરની પેટીને એમજ થંભાવી રાખી. તે ઘણું ઉંચી, નીચી, આડી, ટેઢી થઈને નાખવા ગઈ, પણ તે પેટી માથેથી ખસી નહીં, અને બીજા માણસોએ પણ આય ઉપાય ઘણા કરચા, પરંતુ કોઈ રીતે પડી નહીં. તે વારે તરુણ બ્રાહ્મણીએ જાણ્યું જે મારાં કર્મ મનેજ ઉદય આવ્યાં. એ કર્મ છાનાં રાખ્યાં રહે નહીં. પછી તે કર્મને હલકાં કરવા સારુ તે સ્ત્રી ઘરથી બહાર નીકલી પોતે ઘર ઘર ભિખ માગતી એમ કહેવા લાગી કે મુજ પતિમારિકાને ભિક્ષા આપો. તે વારે વાટે, ઘાટે, ત્રિવાટે, ચૌટે ચાચરે સર્વ લોક તેની નિભ્રંછના કરે. પાપણી જાણી તાડના તર્જાના, તે સર્વ રુડી રીતે ભલી પરે સહન કરે, પણ કોઈની ઉપર દોષ આણે નહી. એમ કરતાં કેટલાએક દિવસ વ્યતિક્રમ્યા. હવે એક દિવસ તેણે માર્ગે જતી કોઈ એક સાધ્વીને દીઠી. તેનું દર્શન થયું તે વારે તે પતિમારિકાએ જાણ્યું જે એ મહાનુભાવને હું પગે લાગું તો મારાં મોટાં પાપ જાય. એમ ચિંતવી સાધ્વીને પગે લાગવા માટે નીચે નમી, તે વારે તત્કાલ તે પેટી પણ તેના માથેથી ઉતરી નીચે પડી, તેથી વલી વિશેષે સાધ્વીની રાગિણી થઈ. તે સાધ્વીની પાસેથી દીક્ષા લઈ દુષ્કર તપ કરી પોતાનો આત્માર્થ સાધ્યો. તેમ સાધુ શ્રાવક પણ પોતાનાં કરેલાં કર્મની પરની સાખે નિંદા કરીને આત્માર્થ સાધે. એ ગા ઉપર દૃષ્ટાંત કહ્યો ॥ 9 ॥ હવે આઠમા બોલે, શોધી એટલે આત્માને શોધી નિર્મલ કરવો, તે ઉપર વસ્ત્રનો દૃષ્ટાંત કહે છે ઃ- જેમ શ્રેણિક રાજાએ એક ધોબીને પોતાનાં પહેરવાનાં વસ્ત્ર ધોવા આપ્યાં, એટલામાં કૌમુદી મહોત્સવ આવ્યો, તે વારે તે ધોબીએ રાજાનાં લુગડાં પહેરવાં, અને ધોબીની સ્ત્રીએ રાણીનાં વસ્ત્ર પહેરચાં. પહેરીને સ્ત્રી ભરતાર બહુ ઉદ્યાને રમવા ગયાં. તિહાં રાજાએ તે સ્ત્રી પુરુષને પોતાનાં ૧૪૦ શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy