SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી રીતે છાનું જોયું, અને સાંભળ્યું. તે વારે માત્ર પોતાના આત્માની નિંદા કરનારીજ તેને જાણી, પણ બીજું કશું કૂડ કપટ તેમાં દીઠું નહીં. તેથી રાજા ચમત્કાર પામ્યો, અને જાણ્યું જે આ ધર્મની વાતો કરનારી છે. એમ નિર્ધારી તેને સર્વ રાણીઓમાં પટ્ટરાણી કરી થાપી. એનો ભાવાર્થ એ છે કે જે રાણીએ કથાઓ કહી, તે તો બીજા પણ ઘણા જનોને આવડતી હશે, પણ જે આત્માની નિંદા કરતી હતી તે ધર્મકથાનો અંશ હતો, તે રાજાને રીઝનું કારણ થયો. તેથી ચિતારીનો અનર્થ ટલ્યો, નહીં તો કાંઈ પણ અનર્થ થાત, માટે ધર્મકથા તે સર્વ કથાઓને જીતનારી છે. એ રીતે ચિતારાની પુત્રીએ છ મહીના પર્યત રાજાને પોતાના મહેલે આપ્યો, પરંતુ બીજી રાણીઓના મહેલ ઉપર જવા દીધો નહીં, પરંતુ તે સંબંધી અહંકાર ન આણતાં પોતાના મન માંહે તો પોતાના કુલાદિ સંબંધી પોતાના આત્માની નિંદા કરતી રહી, માટે જે આત્માની સામે આત્મનિંદા કરે, તે સહુ કોઈને માન્ય થાય. એ આત્મનિંદા ઉપર દૃષ્ટાંત કહ્યો છે દા - હવે સાતમે બોલે ગહ એટલે પોતાની નિંદા પરની સાખે કરીએ. તે ઉપર પતિમારિકાનો દૃષ્ટાંત કહે છે - જેમ કોઈક વૃદ્ધ બ્રાહ્મણ નીશાલીઆને ભણાવતો હતો. તેની સ્ત્રી તરુણ હતી. હવે તે સ્ત્રી પોતાનો પતિ વૃદ્ધ છે, માટે તેની ઉપર વિરક્ત થકી નર્મદા નદીને પહેલે કાંઠે એક ગોવાલની સાથે આસક્ત થઈ થકી રાત્રે એકલી નર્મદા નદી તરીને ગોવાલની સાથે કામસેવા કરે, પાછલી રાત્રે ઘેર આવે. તે કેવી કપટી છે ? કે પોતાના ભરતારને જમાડીને પછી નદી ઉપર વાસણ માંજવા જાય. તિહાં કાગડા કાં કાં કરે, તેથી બીકણની પેઠેએ ભાગીને તે પોતાના પતિને કહે કે હે સ્વામિનાથ ! નદી ઉપર મને બીક લાગે છે. તે સાંભલી તે વૃદ્ધ બ્રાહ્મણે નીશાલીઆનો વારો બંધી આપ્યો. તે વારા પ્રમાણે એકેકો નીશાલીઓ વાસણ માંજતી વેલાએ સ્ત્રીની રખવાલી કરવા જાય. એમ કરતાં એક દિવસ એક મોટા વડા નીશાલીઆનો વારો આવ્યો, તે નીશાલીઓ સ્ત્રીના ગુહ્યની છાની વાત સર્વ જાણે છે, તેથી તેણે પોતાના ગુરુની સ્ત્રીને સમજાવવા માટે કાગડાને ઉડાવતાં મુખથી “હાડે હાડે” કહેતાં એક શ્લોક કહ્યો તે આ પ્રમાણે. દિવા બિભેતિ કાકેભ્યો, રાત્રે તરતિ નર્મદાં - અર્થ - દિવસે તો કાગડાઓથી બીએ છે, અને રાત્રે નર્મદા નદી તરે છે. વલી પાણીમાંથી ઉતારવાના ઘાટ જલતંતૂઆથી મૂકાવવાની વાત સર્વ કહી. એવું શ્રી ચઉમાસીપર્વ ૧૩૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy